SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] જૈન પરંપરાનો ઈતિહાસ [પ્રકરણ સૂરત સૂરત ગુજરાતનું રંગીલું નગર ગણાય છે. બંદર પણ છે. તેના રથાપક, રથાપનાકાળ અને નામકરણ બાબતમાં મેટ વિસંવાદ પ્રવર્તે છે. કેશરીચંદ હીરાચંદ ઝવેરીના ઉલ્લેખ પ્રમાણે તો સૂરત શહેર વિકમની દસમી સદીનું હોય એમ લાગે છે. (– સૂર્યપુરને સુવર્ણયુગ” પ્રક. ૨, પૃ૦ ૮ ) વિકમની સેળમી શતાબ્દીના તપાગચ્છના (પર) બાવનમાં ભટ્ટા શ્રી રતનશેખરસૂરિ, (પ) ત્રેપનમાં ભટ્ટાશ્રી લક્ષમીસાગરસૂરિ, તપાગછની વૃદ્ધ પોષાળગછના ભટ્ટા) શ્રી ઉદયવલભસૂરિ અને અંચલગરછના ભટ્ટા, શ્રી જયકેશરસૂરિ વગેરેએ સૂરતમાં પ્રતિષ્ઠિત કરેલી જિનપ્રતિમાઓ ઉપરના પ્રતિમાલેખ મળે છે, જેમાં સૂરતનાં સૂર્યપુર અને સૂરત નામો ઉલ્લેખેલાં પ્રાપ્ત થાય છે. તે પછીના વિવિધ પ્રતિમાલેખ, ગ્રંથપ્રશરિતઓમાં તપાગચ્છ, વૃદ્ધ તપાગચ્છ, અંચલગચ્છ, ખરતરગચ્છ અને પાયચંદગચ્છના તેમ જ છૂટક વર્ણનોમાં લોકાગચ્છ, ઢુંઢિયા અને તેરાપંથીઓનાં નામે પણ જડી આવે છે. નામકરણ – સૂરત નામ કેમ પડ્યું ? એ વિશે આ પ્રમાણે વિવિધ અટકળો જાણવામાં આવી છે —– ૧. રાંદેરના નવાબની રખાત સૂરજ. ર. તુક સુલતાનની બેગમ સૂરતા. ૩. રૂમખાન સોદાગરની રખાત સૂરતા. ૪. કંચની સૂરજ કે જેણે જમીનદારની વિધવા કન્યાના પુત્ર ગેપીને પોતાનાં ધન-દોલતને વારસદાર બનાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy