SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ અડસઠમું] પં૦ રૂપવિજયજી ગણું [૪૧૫ દીપચંદ, કલ્યાણજી, શેઠ મોતીશાહના મિત્ર શેઠ ફૂલચંદ કપૂરચંદ ઘોઘાવાળા વગેરેએ અંજનશલાકા, સંઘવ્યવસ્થા, પ્રતિષ્ઠા મહોત્સવમાં મેટો ભાગ લીધે. મોતીશાહની ટ્રકની પ્રતિષ્ઠા વખતે જ બાલાવતી ટૂંકની પણ પ્રતિષ્ઠા થઈ. (– “ગોડીજી ગ્રંથ', પૃ૦ ૧૩૩ થી ૧૩૯) વિ. સં. ૧૯૧૩ના પર સુવ રને સેમવારે વિજયદેવસૂરિસંઘનું ટ્રસ્ટ બંધારણ તૈયાર થયું. કેટમાં સં. ૧૮૬૫ના મહા વદિ ૫ના રોજ શ્રી શાંતિનાથ જિનાલય બન્યું. એકદા શેઠ મેતીશાહે ૮ વહાણ માલથી ભરી ચીનમાં મેકલ્યાં. તેમાં તેમને ૧૨–૧૩ લાખ રૂપિયાને નફો થયો. તેમણે તે રકમ શ્રી શત્રુંજયતીર્થમાં ખરચવાનું નક્કી કર્યું અને તે રકમ જુદી રાખી મૂકી. તેમણે અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ પાસે શ્રી શત્રુંજય પહાડ ઉપર મંદિર બંધાવવા જમીન માગી પણ કોઈ જગ્યા ખાલી નહોતી એટલે શેઠ મોતીશાહ જાતે તપાસ કરવા સંધ લઈ પાલિતાણું ગયા. તેમણે જોયું કે શ્રી શત્રુંજય ઉપર પહેલી ટૂંક અને આઠમી ટૂંક વચ્ચે માટે ખાડે હતા, જે કુંતાસરની ખાઈ નામે પ્રસિદ્ધ હતો. શેઠ મેતીશાહે આ જગ્યા પૂરાવીને ત્યાં જિનાલ બંધાવવાનું નક્કી કર્યું. તેમણે શેઠ હેમાભાઈની રજા મેળવી તેને પુરાવવાની શરૂઆત કરી. આમાં રૂા. ૮૦૦૦૦ એંશી હજાર રૂપિયાનાં દોરડા વપરાયાં. અહીં શેત્રુંજી નદીથી મજૂરો પાસે એક હાંડી પાણી ભરાવી લાવવાના ચાર આના લેખે રકમ આપતા હતા. એ સમયે અંચલગચ્છના (૬૫) ભટ્ટા, મુક્તિસાગરસૂરિ (સં. ૧૮૯૨ થી ૧૯૧૪) થયા. તેમણે સં. ૧૮૯૩માં મેતીશાહની ટૂંક વગેરેની પ્રતિષ્ઠા કરી. શેઠે આ ખાડો પુરાવી જમીનને સપાટ બનાવી. એ જમીન ઉપર ટૂંક બંધાવવાનું કામ શરૂ કર્યું. બીજી તરફ પાલિતાણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy