SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ એમ જાણવા મળે છે કે, મુંબઈમાં કેટમાં વિસં. ૧૬૩૧ થી ૧૬૩૫માં ગોડી પાર્શ્વનાથનું જિનાલય બન્યું હતું, પરંતુ સં. ૧૮૫૯માં કેટમાં આગ લાગતાં ત્રણ દિવસ સુધી તે આગ રહી હતી. તેમાં ઘણાં મકાને ભસ્મીભૂત થયાં, તેમાં ચાલીશેકનું નુકસાન થયું હતું. - ત્યાં વસતા ઘણુ જેનો, ઘરે બળી જવાથી કાલબાદેવી, ભૂલેશ્વર, પાયધુની વિભાગમાં આવીને વસ્યા. એ જૈનોએ પાયધુની ઉપર ગોડીજીનું જિનાલય બંધાવવાને નિશ્ચય કર્યો. શેઠ નેમચંદ સં. ૧૮૬૨માં ૪૨૦૦ રૂપિયામાં પાયધુની ઉપર મકાન ખરીદ્યુ અને સં. ૧૮૬૮ના બીજા વૈ૦ સુ. ૧૦ ને બુધવારના રોજ સ્ટે. ટા ક ૮ ને ૩૦ મિનિટે શ્રી ગેડી પાW. નાથને ગાદીએ બેસાડયા. ઘેઘાવાળા શેઠ કલ્યાણજી કાનજીએ રૂા. ૧૦ ૦૧. ની બોલી બોલીને પ્રભુજીને ગાદીએ બેસાડયા. શેઠ નેમચંદ, મેતીચંદ, દેવચંદ ઉત્સવમાં જુદી જુદી બેલી બેલીને લાભ લીધો. સં. ૧૮૬૨ થી ૧૮૭૨ સુધીમાં જિનાલય તૈયાર થયું અને તેને વહીવટ શરૂઆતમાં શેઠ અમીચંદ સકરચંદની પેઢી કરતી હતી. સંભવતઃ આ પ્રતિષ્ઠા તપાગચ્છના ભવ્ય વિજયદેવેન્દ્રસૂરિના હાથે થઈ હશે, કેમકે ગવર્નર ઈન કાઉન્સીલ ડબલ્યુ હારે તેમને ગુજરાત, કાઠિયાવાડમાં ફરવા માટે પરવાનગી પત્ર આપ્યો હતો. સં. ૧૮૬માં શેઠ નેમચંદભાઈ તથા તેમનાં માતુશ્રી રૂપાબાઈ મરણ પામ્યાં. હવે કુટુંબને ભાર શેઠ મોતીચંદ ઉપર આવી પડ્યો. શેઠ મોતીચંદ દેવચંદ સૂરતની પેઢીના ટ્રસ્ટી નિમાયા. સંઘે સં૦ ૧૮૯૧ના જે. સુ. પના રોજ ગોડીજીના દેરાસરના નીચેના ભાગમાં મણિભદ્ર વીરની સ્થાપના કરી. શેઠ મોતીશાહનાં મરણ બાદ સં. ૧૮૯૨માં તેમના ૩૨ વર્ષની ઉંમરના પુત્ર ખીમચંદભાઈ ટ્રસ્ટી નિમાયા. શેઠ મોતીશાહની ટૂંક બંધાવવા વગેરેમાં શેઠ અમરચંદ દમણી, શેઠ કલ્યાણજી કાનજી ઘેઘાવાળા, તેના પુત્ર બાલાભાઈ ઘેઘાવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy