SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ [ ૨૩૧ તેને ઉપદેશ આપી પ્રજા પ્રત્યે રહેમ રાખે એવો બનાવ્યો હતો. આયાર્યશ્રીએ સં. ૧૯૬૫માં પ્રભાસપાટણમાં ચોમાસું કર્યું અને અહીં બે જિનપ્રતિષ્ઠા કરી. તે સૌ દેલવાડા પધાર્યા. ત્યાં પણ દીવબંદરના ફિરંગીઓ, અમલદારે વગેરેને દીવબંદર પધારવા પત્ર આવ્યો. આથી આચાર્યદેવ સપરિવાર મચુઆ (મધુવા-ખાટલે ગદા) વડે દીવબંદર પધાર્યા અને તેમણે ત્યાં સૌને ધર્મોપદેશ આપી પ્રજાપ્રેમી અને અહિંસાપ્રેમી બનાવ્યા. - આચાર્યશ્રીએ સં. ૧૯૬૩માં દેલવાડામાં ચોમાસું કર્યું. ત્યાંથી વિહાર કરી ભાણવડ અને જામનગરના જનસંઘની વિનંતીથી. ભાણવડ પધાર્યા. જામનગરના જૈન સંઘે ભાણવડ જઈ આચાર્ય દેવને ચોમાસું કરવા વિનંતી કરી. આચાર્યશ્રીએ સં. ૧૬૬૭-૬૮માં જામનગરમાં ચોમાસું કર્યું. આચાર્યશ્રીએ જામનગરના જામરાવને ઉપદેશ આપ્યો. જૈન સંઘે ચોમાસામાં ઘણું દાન-પુણ્ય કર્યું. ગુજરાતના જાએ જામનગર આવી આચાર્યદેવને ગુજરાત પધારવા વિનંતી કરી. આથી ગચ્છનાયકે સૌરાષ્ટ્રથી વિહાર કરી ગુજરાત તરફ વિહાર કર્યો. તેમણે શંખેશ્વરતીર્થની યાત્રા કરી. આ૦ વિજયસેનસૂરિ અને આ. વિજયદેવસૂરિ અહીં મળ્યા. સં. ૧૬૬૯માં કે સં. ૧૯૭૦માં તેમણે પાટણમાં ચાતુર્માસ કર્યું. ગચ્છનાયક સં. ૧૯૭૧માં અમદાવાદ પધાર્યા. આ. વિજયદેવસૂરિ સાથે જ હતા. ગામેગામના જન સંઘે પણ વાંદવા આવ્યા. અમદાવાદના જૈનોમાં ૧૨ વર્ષથી જ્ઞાતિભેદને ઝગડો ચાલતો હતો. આચાર્યદેવે સં. ૧૬૭૧માં ચોમાસું કર્યું ત્યારે ઉપદેશ આપી તે ઝઘડે મટાડી જૈન સંઘમાં સંપ કરાવ્યો. આચાર્યશ્રીએ સં. ૧૯૭૨ના મહામહિનામાં બે અને વૈશાખમાં બે એમ ચાર જિનપ્રતિષ્ઠા કરી. પરિવાર અને પ્રભાવગચ્છનાયક આ. વિજયસેનસૂરિના પરિવારમાં ૧ આ. વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy