SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવન ] ભટ્ટારક વિજયદાનસૂરિ [૪૮ મલિક નગદલનું બિરુદ આપ્યું હતું. એક મોટા વજીર લેખે તેના હાથ નીચે ૫૦૦ ઘેડેસ્વાર હબસીઓની સેના હતી. તેણે સં. ૧૬૫૮માં મહોધર્મસાગરને મોટું સામૈયું કરી પધરાવ્યા. મંત્રીએ તેમના પ્રવેશ-ઉત્સવમાં બે હજાર પ્રભાવના કરી હતી. તેમને અમદાવાદમાં ચાતુર્માસ કરાવી વ્યાખ્યાનમાં જુદી જુદી વસ્તુઓની પ્રભાવના કરાવી હતી, ત્યારે ત્યાં વ્યાખ્યાનમાં ૫૦૦ થી વધુ વ્યક્તિઓ આવતી હતી. (–પ્રક. પપ, પૃ. ૪૮ ) મંત્રી ગલરાજે ભટ્ટા, શ્રી વિજયદાનસૂરિના ઉપદેશથી સંતુ ૧૬૧૫-૨૦ માં બાદશાહને સમજાવી ૬ મહિના સુધી મુક્તાઘાટ કરાવ્યા હતા. એટલે રાજ્ય તરફનાં લાગત, જકાત, વેઠ, વેરો મુંડકાવેરો યાત્રાકર વગેરે માફ કરાવ્યા હતા. તેમણે ભારતમાં સવસ્થાને આમંત્રણ પત્રિકા મોકલી બધા જૈન સંદેને બેલાવી સંઘપતિ બની શ્રી શત્રુંજય તીર્થને છરી પાળતો. યાત્રાસંઘ કાઢયો હતો. શ્રી શત્રુંજયતીર્થને મેતીફૂલ અને અક્ષત વડે વધાવ્યો હતો અને સૌને યાત્રા કરાવી હતી. (- “તપાગચ્છપટ્ટાવળી” ગા. ૧૯ ની સંસ્કૃત ટીકા, “હીર સૌભાગ્ય કાવ્ય ' સર્ગ ૪, શ્લ૦ ૪૭ની ટીકા) મંત્રી ગલરાજે સં. ૧૯૨૦ના વૈ૦ સુ૫ને ગુરુવારે શ્રી શંત્રુજય તીર્થમાં ભ૦ આદીશ્વરની દેવકુલિકા બનાવી, તેની ભટ્ટા) શ્રીવિજ્યદાનસૂરિને હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. પાટણને વશે શેઠ શિવજી સં. ૧૬૧૮માં અમદાવાદમાં ચાતુર્માસમાં મહ૦ શ્રી ધર્મસાગરજીને વાંદવા આવ્યો હતો ત્યારે મંત્રી ગલરાજ અને શેઠ શિવજી ગાઢ મિત્ર બન્યા હતા. આ. શ્રી વિજયદાનસૂરિએ સં. ૧૬૧માં મહ૦ શ્રી ધર્મસાગર ગણના “કુમતિકુરાલ” ગ્રંથને અપ્રામાણિક જાહેર કર્યો હતો. પછી મહો. ધર્મસાગરજી ગણે અમદાવાદ પધાર્યા હતા ત્યારે મંત્રી ગલરાજ મહેતાએ તેમની નવી પ્રરૂપણાને ટેકો આપ્યો તેમ જ તેણે એ નવી પ્રરૂપણાના પક્ષકાર તરીકે ઉપાઠ રાજવિમલગણીવર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy