SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ હીરસૂરિએ પિતાના પરિવાર સાથે સં ૧૬૩ન્ના માગશર વદિ ૭ ના રોજ ગંધારથી ફત્તેહપુર સિકી જવા માટે વિહાર કર્યો. શેઠ રામજીએ શત્રુજ્ય તીર્થમાં શ્રી. શાંતિનાથ ભ૦ને ચમુખ જિનપ્રાસાદ, દેરી વગેરે કરાવ્યાં હતાં અને સં. ૧૬૫માં ચૌમુખને મોટે જિનપ્રાસાદ બનાવી આ. વિજયહીરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. - શા. વર્ધમાન–તે ગંધારના શ્રીમાલી શા- પાસવીરનો પુત્ર હતો. તેને ૧ રામજી, ૨ હંસરાજ, ૩ મનજી એમ ત્રણ પુત્રો હતા. તેણે સં. ૧૬૨૦ ના કા2 સુ. રના રોજ શત્રુંજય મહાતીર્થમાં ભટ્ટા વિજયદાનસૂરિ અને આ 2 વિજયહીરસૂરિના હાથે ભ૦ શાંતિનાથના ચૌમુખ પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી. (આ દેરાસર ભંડારની ઓરડી પાસે છે. ). (– શ્રી શત્રુંજયનું મોટું વર્ણન ) શેઠ મૂલાશાહ–તે અમદાવાદના અહમદપરામાં રહેતો હતો. ધનાઢય જૈન વેપારી હતા. આ. વિજયદાનસૂરિ અને આ વિજયહીરસૂરિને ભક્ત હતો; આ૦ વિજયહીરસૂરિએ સં. ૧૬૨૮ ના ફાવે સુ, ૭ને સોમવારે અમદાવાદના અહમદપરામાં શેઠ મૂલાશાહે કરાવેલા પદવી મહોત્સવમાં પં. જયવિજયગણીને ઉપાધ્યાય બનાવ્યા. પછી આચાર્ય બનાવ્યા અને તેમનું નામ રાખ્યું વિજયસેનસૂરિ. | ( વિજય પ્રશસ્તિ મહાકાવ્ય સર્ગઃ ૭, લે. ૬૭ થી ૭૨ ) તથા તે જ મુહૂર્તમાં ઉપા. વિમલહર્ષગણિવરને મહોપાધ્યાય બનાવ્યા. અને મુનિ પસાગરગણી, મુનિ લબ્ધિસાગરગણું વગેરે છે ગણિવરને પંન્યાસ બનાવ્યા. શેઠ મૂલાશાહે સં. ૧૯૫૦ માં શત્રુંજય તીર્થમાં આદીશ્વરની ટ્રકમાં મોટો જિનપ્રાસાદ બનાવી આ. વિજયહીરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. જસુ ઠક્કર–તેને વધુ પરિચય મળતો નથી. સંભવ છે કે તે પં. સિંહવિમલગણીએ જૈન બનાવેલ કાયસ્થ વંશનો હોય. તે સં” ૧૬૫ભાં શત્રુંજય તીર્થમાં ભ૦ આદીશ્વરની ટ્રકમાં ખંભાતના સોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy