SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠમુ] આચાય. વિજયસિંહસૂરિ સં. ૧૯૦૧માં વિહાર કરી મારવાડ-મેવાત તરફ પધાર્યાં. તેમણે સ૦ ૧૭૦૧માં મેડતામાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તથા એ જ સાલમાં મેડતામાં બાદશાહના માનીતા શેઠ હીરાનંદ ઝવેરી આગરાવાળાની પત્ની શ્રાવિકા મણિએને ભરાવેલ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આગરાના ઘણા જૈના આ ઉત્સવમાં એન સાથે મેડતા આવ્યા હતા. આ॰ વિજયસિહસૂરિએ સ૦ ૧૭૦૧માં મેડતામાં કુહાડ ગાત્રના વીશા ઓશવાલ જૈન શેઠ વમાન પત્ની વહાલદેના પુત્ર રાયસિંહને શત્રુજયંતીમાં સહસ્રકૂટનું દેરાસર બનાવવાના ઉપદેશ આપ્યા હતા, અને તે વખતે પાલીતાણામાં શ્રીપૂજની ગાદીએ શત્રુંજયતીની રક્ષા માટે નીમેલ ૧ ૫૦ શાંતિવિજયગણી, (આ॰ વિજયાનંદસૂરિના શિષ્ય ), ૨૫ દેવવિજયગણી અને ૩ ૫૦ મેઘવિજયગણી વગેરેને આજ્ઞા આપી હતી કે તમારે સૌએ ધ્યાન રાખી શાસ્ત્રાનુસાર સહસ્રફૂટ ખનાવવા. ત્યારથી શત્રુંજયમાં તે ફૂટ બનાવવાના આરંભ થયા. (– એપિગ્રાફ્રિ ઇડિકા, ૨. ૭૩) [ ૩૪૧ અને આચાર્યાએ સં૦ ૧૬૯૮-૯૯માં ઉયપુરમાં ચામાસમાં કર્યો. રાણા જગતસિંહને ઉપદેશ આપી જિનપૂજાના પ્રેમી બનાવ્યા, મેવાડ માટે અહિંસાનાં ફરમાન લખાવ્યાં. આ વિજયસિ‘હસૂરિએ સ૦ ૧૭૦૧માં કિસનગઢના રાજા રૂપસિંહ રાઠોડના મહામાત્ય રાયસિંહની વિનંતિથી કિસનગઢમાં ચામાસું કર્યું. સં૦ ૧૭૦૨માં કિસનગઢમાં મહામાત્ય રાયચંદ તથા સંધે બનાવેલ ભ॰ શામળિયા પાર્શ્વનાથના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી. આહ્વણુપુરના રાજા મહેશદાસના મંત્રી સુગુણચંદ આ પ્રતિષ્ઠાઉત્સવમાં કિસનગઢ આવ્યા. તેણે અહી આવી આચાય શ્રીને મહાત્સવપૂર્વક વન કર્યું.... ગડુલી કાઢી સેાનામહારા ચઢાવી. આચાય શ્રીએ સ′૦ ૧૭૦૨માં કિસનગઢમાં ચામાસું કર્યું' અને સ’૦ ૧૭૦૩માં કિસનગઢના છરી પાળતા યાત્રાસંઘ સાથે માલપુર, ખુદી અને ચવલેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી. તેમણે સ૦ ૧૭૦૩માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy