________________
સાઈઠમું] આ. વિજયદેવસૂરિ
[ ૩૦૫ જેનું જીવન પવિત્ર છે એવી શ્રાવિકા ફૂલોએ શત્રુજ્ય ગિરનાર વગેરે મેટાં તીર્થોનો સંઘ કાઢી સંઘવણનું તિલક ધારણ કર્યું, સંo ૧૭૦૫ના વૈ૦ સુરના રોજ ખંભાતમાં સંઘવણ ફૂલાંબાઈ એ બંને આચાર્યોને “વિવાગસુત્ત” તથા “ અત્તરોવવાઈસુત્ત”ની પ્રતિએ વહરાવી.
( –શ્રી, પ્રશસ્તિસંગ્રહ ભા૦ ૨, પ્ર. નં ૦ ૭૯૦ તથા ભાંડારકર ઇસ્ટીટયૂટ જ પ્ર સં૦ ભા. ૧,
પ્ર. નં. ૧પર) તેમણે સં૧૭૦૫માં ખંભાતમાં ચોમાસું કર્યું. આ. વિજયસિંહસૂરિએ સં. ૧૭૦૬(૧૭૧૧)ના મહા સુદિ ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં – શ્રવણનક્ષત્રમાં પાટણમાં ગુરુનિશ્રામાં સંવેગી સાધુ-સાધ્વી યોગ્ય આઠ બેલનો પટ્ટક બનાવ્યો. બંને આચાર્યોએ સં. ૧૭૦૬માં પાટણમાં ચોમાસું કર્યું અને સં. ૧૭૦૭માં અમદાવાદમાં ચાતુર્માસ કર્યું.
આ. વિજયદેવસૂરિએ સં. ૧૭૦૮માં ખંભાતમાં ચોમાસું કર્યું. આ. વિજયસિંહસૂરિએ ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૭૦૮ના અષાડ સુદિ રના રોજ અમદાવાદના રાજપરા પાસે નવીનપુરામાં ૨૮ વર્ષની ઉંમરે ગીતાર્થો પાસે અતિચાર આલોવી અનશન સ્વીકારી સમાધિથી કાળધર્મ પામ્યા.
ભ૦ વિજયદેવસૂરિની આજ્ઞાથી મહ૦ ભાનુચંદ્રગણીના શિષ્ય પં. વિવેકચંદ્રગણુએ સં. ૧૭૦૯ના ફા૦ સુત્ર ૩ ને રવિવારના રોજ પાટણમાં એશવાલ જન સંઘે મેદપાટ દેશાધિરાજ રાણું જગતસિંહને પ્રતિબોધદાયક આ. વિજયસિંહસૂરિની ચરણપાદુકા બનાવી હતી તેની પ્રતિષ્ઠા કરી.
(– પ્રાજ લે ભા. ૨, લે નં. ૫૧૪)
ભટ્ટારક—
ભ૦ વિજ્યદેવસૂરિએ સં. ૧૭૧૦ના વેસુ. ૧૦ ને શુક્રવારે પુષ્યનક્ષત્રમાં સુમુહૂર્તમાં ગંધારમાં પં. વીરવિજયગણેને આચાર્ય
જે ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org