SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪] જેન પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ ૧૧. શેઠ મેહેલ્લાલ ૧૨. શેઠ સાંકળચંદ– તેમને પાર્વતીબાઈ નામે પત્ની હતી. ૧૩. શેઠ માયાભાઈ – અમદાવાદના શેઠ સાંકળચંદભાઈ અને તેમનાં પત્ની શેઠાણી પાર્વતીબાઈ થી મયાભાઈનો જન્મ સં. ૧૯૪૬ના પ્ર. ભા. સુ. ૧ ના રોજ થયો હતો. મયાભાઈ બુદ્ધિશાળી હતા, ધર્મપ્રેમી અને લોકપ્રિય પણ બન્યા. તેમને ધીરજબેન નામે પત્ની હતાં, જે અમદાવાદની જહાંપનાહની પોળના શેઠ જેસિંગભાઈ ઠાકરશીની પુત્રી હતાં. તે સુશીલા, ઘરરખુ અને ધર્મપ્રેમી હતાં. શેઠ મયાભાઈ અમદાવાદની વિશાશ્રીમાળી જ્ઞાતિના શેઠ હતા અને અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના માનદ વહીવટદાર સભ્ય હતા. નગરશેઠ કસ્તૂરભાઈ એ મણિભાઈએ મુનિ દર્શનવિજય, મુનિ જ્ઞાનવિજય અને મુનિ ન્યાયવિજય (ત્રિપુટી)ના ઉપદેશથી મેરઠ પ્રદેશ મુજફરનગર પ્રદેશમાં નવા બનેલા જૈનોને સહાય કરવા સ્થાપેલ શ્રી. ૦ મૂ૦ ધ પ્રક સમિતિના પ્રમુખ બન્યા હતા. તે સં. ૨૦૦૬ના પ્ર. અ. વ. ૬ (તા. ૫–૭–૧૯૫૦)ની વહેલી સવારે કલાક ૪ ને મિનિટ ૫૫ ના સમયે ૬૦ વર્ષની ઉંમરે શ્રી શત્રુંજયતીર્થનું ધ્યાન કરતાં કરતાં સમાધિપૂર્વક મરણ પામ્યા. ધીરજબેન સં. ૨૦૧૭ના બીજા જે વ૦ ૨ ને શુકવારે (તા. ૩-૬-૧૯૬૧)ના રોજ અમદાવાદમાં મરણ પામ્યાં હતાં. શેઠ મયાભાઈને ૧. નરોત્તમભાઈ, ૨. કસ્તૂરભાઈ અને ૩. કલ્યાણચંદ નામે ત્રણ પુત્રો છે. શેઠ મયાભાઈના મરણ પછી તેમના કુટુંબના શ્રી ચારભાઈ ભોગીલાલ વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ છે અને આ૦ ક0ની પેઢીના સ્થાનિક સભાસદ છે. ૧૪. શેઠ નરોત્તમભાઈ – તેઓ શાંત, અને ધર્મપ્રેમી છે. શેઠ આ કo પેઢીના માનદ સભાસદ છે. દોશી મનિયા શ્રીમાલીન વંશ (નં. ૩) ૧ દોશી રંગા ૨ દોશી લહુઆ ૩ દેશી સુમતિદાસ – તેમનું નામ ઉત્તરાધ્યયનની ટીકાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy