SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ લેખક તરફથી... અમે પૂર્વભારત અને ઉત્તરભારતમાં વિહાર કર્યો ત્યારે અનેક વિદ્વાનોનો સંપર્ક સાધ્યો હતો. પટનાના શ્રીયુત કાશીપ્રસાદ જારવાલ, મહાન વિજ્ઞાની જગદીશચંદ્ર બેઝ, કૃષ્ણનગરના ડિસ્ટ્રીકટ એંજિનિયર લેખક અને કવિ ભૂપદેવેંદ્ર સોબાકર ચેટરજી, B.A, B.E, C.E, J.E, A.M, પટનાના પરમેશ્વરજી દયાળ એકેટ (ચુરામણુ પુરવાલા), મથુરા મ્યુઝિયમના કયૂરેકટર બાબુ વાસુદેવશરણુ અગ્રવાલ M. A. અને દિલ્હીના દયારામ સહાની સાથે જિનધર્મ, દાર્શનિક તો. રચાવાદ, દ્રવ્યાનુયોગ (જેન વિજ્ઞાન ) તથા જિન ઈતિહાસ સંબંધે ઘણી ઘણી વાતો થઈ હતી. પરિણામે તેઓ સાદરભાવે એવી ઈરછા વ્યક્ત કરતા કે, ઉક્ત વિષયોનું જૈન સાહિત્ય જલદી પ્રકાશિત થાય તો તે દ્વારા ભારતવર્ષને પોતાની પ્રાચીન આર્ય સંસ્કૃતિની પ્રાપ્તિ થાય. માનવ માત્ર જે જૈન ધર્મના સિદ્ધાંતોને અપનાવે તો દુનિયામાં ચાલતા વેર-ઝેરના કલહો અવશ્ય ઓછા થાય. એ સિદ્ધાંતના આદર્શો આજના જગતને ઘણી શાંતિ આપી શકશે એમ હવે ખુલ્લું જણાઈ આવે છે. અમે પણ એ પ્રેમાળ માગણીથી ઉત્સાહિત થઈને સૌ કોઈ ઇતિહાસપ્રેમીને ઉપયોગી એવા પટ્ટાવલી સમુચ્ચયના બે ભાગ પ્રકાશિત કરાવ્યા. એ પ્રકાશનને ભારત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy