SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦]. જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ વિશેષ નોંધ ઉપરના શિલાલેખેને ગંભીરતાથી વિચારીએ તે નીચેથી બાબતે વિશેષ જાણવા મળે છે. – (૧) ભટ્ટાવિજયદાનસૂરિ અને આ૦ વિજયહીરસૂરિ વગેરે સં. ૧૯૨૦ના શેષ કાળમાં તેમ જ ચોમાસામાં પાલિ તાણામાં વિરાજમાન હતા. (૨) ત્યારે હિંદમાં મોગલ રાજ્ય હતું. તેના ફરમાનામાં મુખ્યતાએ ચિત્રાદિ વિક્રમ સંવતની નોંધ મળે છે. તો સંભવ છે કે, ઉક્ત શિલાલેખોમાં એ જ રીતે ચૈત્રાદિ (હિંદી) વિક્રમ સંવત લખાયો હોય અર્થાત્ આ શિલાલેખમાં જે સંવત છે તે ચિત્રાદિ વિકમ સંવત છે. (૩) શત્રુંજયતીર્થમાં સં. ૧૯૨૦ના વૈશાખ, આષાઢ, શ્રાવણ, આસો અને કાર્તિક મહિનામાં દેરીઓ તથા જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ છે. (૪) સંભવ છે કે, “કાતિક મહિનામાં પણ શત્રુંજય તીર્થની ઉપર જવાની પ્રવૃત્તિ હોય.” (૫) કદાચ આપત્તિકાળના કારણે આ બધું અપવાદરૂપે પણ હેય. સંપાદકની ખાસ નેધ, પૂ. શ્રી ત્રિપુટી મહારાજે ઉપરની નોંધમાં ૩જી કલમમાં શ્રાવણ આ કાર્તિક મહિનાના શિલાલેખે હોવાની વાત જણાવી છે. તે પરથી જુગજૂની ચાલી આવતી ચોમાસામાં ગિરિરાજની યાત્રા કે ગિરિરાજ પર ચઢવાના નિષેધ સાથે વ્યાઘાત ઊભે થવાની શંકાથી ૪ થી અને ૫ મી કલમ લખી છે. પણ હાલમાં તાજેતરમાં પૂ. આગાદ્વારક આ૦ શ્રી આનંદસાગરસૂરિના શિષ્યરન પૂ૦ આ૦ શ્રી કંચનસાગરસૂરિ મરશ્રીએ વર્ષોની ખંતભરી મહેનત ઉઠાવી તનતોડ શ્રમ કરી શ્રી સિદ્ધાચલમહાતીર્થ પર કલાકે ગાળી ખૂણે-ખાંચરે ફરી ફરીને એક એક જિન પ્રતિમાઓ, શ્રી સિદ્ધચક્રજી, દેરીઓ અને ભીંત કે થાંભલાના નાનામોટા બધા લેખે ઉતારી વ્યવસ્થિત કરી શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy