SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ [૫ સત્તાવન 1 ભટ્ટારક વિજયદાનસૂરિ ને રોજ અમદાવાદમાં સ્વર્ગગમન થયું. આ૦ વિજયદાનસૂરિએ ગચ્છનાયક તરીકેની બધી જવાબદારી સંભાળી લીધી. તેમણે મુનિ હીરહર્ષને બધી રીતે ચગ્ય જાણી સં. ૧૬૦૭માં નાડલાઈમાં ગણી–પંન્યાસપદ તથા સં. ૧૬૦૮ના મહા સુદિ ૫ ને રોજ નાડલાઈમાં ઉપાધ્યાય બનાવ્યા. તે પછી તપાગચ્છના ગીતાર્થ મુનિવરો અને શ્રમણ સંઘની વિનંતિથી ઉપાટ હરહર્ષ ગણુને આચાર્ય બનાવી આ૦ હીરવિજયસૂરિ નામ રાખી, પોતાની પાટે બીજા ૫૮માં ગચ્છનાયક તરીકે સ્થાપન કર્યા. આ રીતે ભટ્ટા, વિજયદાનસૂરિની પાટે (૧) આ. વિજયરાજસૂરિ અને (૨) વિજયહીરસૂરિ – એમ બે ગચ્છનાયક બન્યા. આગમવાચના – આ૦ વિજ્યદાનસૂરિ વિદ્વાન હતા. તેમજ મોટા વાદી હતા. મોટા મોટા વાદીઓ પણ તેમનું નામ સાંભળી ચુપ થઈ જતા. તેઓ પિતાના પરિવારના બધા મુનિઓને ભણાવતા હતા. જિનાગમની વાચના દેતા હતા. મહોત્ર ધર્મસાગર ગણ, મહોરાજવિમલગણું, આ. વિજયહીરસૂરિ વગેરે સૌ તેમની પાસે જિનાગમ ભણ્યા હતા. આ. વિજયદાનસૂરિ વાચનામાં આગમના પાઠ શુદ્ધ કરતા હતા. તેમણે આ રીતે અગિયાર–અંગેને ઘણીવાર શુદ્ધ કર્યા હતા. તેમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, ગોલવાડ, મારવાડ, માળવા, મેવાડ અને કાંકણ વગેરે દેશોમાં વિહાર કર્યો હતો, તેમ જ ખંભાત, ગંધાર પાટણ, સિદ્ધપુર, વિજાપુર, દેવકી પાટણ અને નાગરવગેરે સ્થાનમાં આગમોની વાચના આપી ગીતાર્થો પાસે ૪૫ આગમ શોધાવ્યાં હતાં. પષ્ટક – (૧) આ. વિજ્યદાનસૂરિએ શ્રમણ સંઘ – જૈનશાસનનું મજબૂત એકમ બનાવી રાખવા માટે સાત બેલનો પટ્ટક બનાવ્યા અને તેને પૂરો અમલ કરાવ્યો. (૨) જગદગુરુ આ૦ વિજયહીરસૂરિએ આ પટ્ટકની પૂરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy