SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬] જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ બહાર શ્રી સમેતશિખર મહાતીર્થની સ્થાપનારૂપ ભેમિયાજીનું મંદિર બનાવ્યું. રાસકાર પં. શ્રી દયારુચિ ગણું મધુવનને “સમેતશિખરજીની ૨૧ મી ટ્રક” બતાવે છે. શેઠ ખુશાલચંદે નિર્વાણભૂમિઓનાં ચોક્કસ સ્થાનેની ગૂંચ ઉકેલી છે જે તેમની જૈન ઇતિહાસમાં સદા યાદ રહે એવી ધર્મભક્તિનું સ્મરણ કરાવે છે. આજે મહારાજા સ્વરૂપચંદની સં. ૧૮૭૩ની પાષાણમૂર્તિ દિગબર મંદિરમાં છે તે પછીના જગત શેઠના વંશજોએ બનાવી હશે અને કેાઈ આકસ્મિક પ્રસંગે દિગંબર જૈનોના કબજામાં ગઈ હશે. " શેઠે તીર્થનો વહીવટ તાંબર જૈન સંઘને સેપ્યો. આજે પણ આ તીર્થ તાંબર જૈનોના વહીવટમાં છે. શેઠે પહાડની ઈનામી જમીન પિતાના તાબામાં રાખી હતી, જે ઈ. સ. ૧૭૫ પછી પાલગજના રાજયમાં ભળી ગઈ. જગતશેઠ ખુશાલચંદ આ ઉપરાંત બીજા પણ લોકેપગી ઘણાં શુભ કાર્યો કર્યા હતાં. તેમણે પોતાની માતા કે પત્નીની યાદમાં ૧૦૮ વાવ બેદાવી. જગતશેઠની કોઠી પાસે મહિમાપુરમાં ખુશાલબાગ બનાવ્યો. . લોકોને સાધારણ ખ્યાલ હતો કે જગતશેઠનું કુટુંબ નિર્ધન હતું પણ માત્ર શેઠ ખુશાલચંદને જ જેની ખબર હતી તે ગુપ્ત ધન દ્વારા ઘણાં બધાં શુભ કાર્યો તેમણે કર્યા હતાં. - આ રીતે લક્ષ્મીનો સદુપયોગ કર્યો પણ મરણ સુધી તેમણે પિતાના ગુપ્ત ધનની કેઈને વાત કરી નહીં. લોર્ડ વોરન હેસ્ટીંગે જમીનદારોને નવા બંદોબસ્ત કર્યો. આથી બંગાળનાં ઘણું સુખી કુટુંબે તારાજ બની ગયાં ને ઘણુ ગરીબ કુટુંબ તવંગર બની ગયાં. તેની ભાવના હતી કે, જગતશેઠને વંશવારસનો હક કે કંઈ આપવું. પણ તે અલાહાબાદ જઈ પાછો મુર્શિદાબાદ આવ્યા. જગતશેઠ ખુશાલચંદ તે પહેલાં વિ. સં. ૧૮૦૦ ( ઈ. સ. ૧૭૮૪)માં સ્વર્ગવાસી થયા. તેમને એક પણ પુત્ર નહાતા. તેથી તેણે મરણ પહેલાં પિતાને ગુપ્ત ભંડાર કેઈને બતાવ્યા નહીં. આથી વારસદારો તે ગુપ્ત ધન પામ્યા નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy