________________
Sc
પિતપતાનાં મંતવ્ય દર્શાવનારી જરૂર જણાઈ આટલું સ્કૂલ સામ્ય છતાં બ્રહ્મસૂત્રની અને તત્ત્વાર્થની સાંપ્રદાયિક વ્યાખ્યાઓમાં એક ખાસ મહત્વને ભેદ છે અને તે એ કે, જગત, જીવ, ઈશ્વર આદિ જેવા તત્વજ્ઞાનના મૌલિક વિોમાં બ્રહ્મસૂત્રના પ્રસિદ્ધ વ્યાખ્યાકારે એક બીજાથી બહુ જ જુદા પડે છે અને ઘણીવાર તે તેમના વિચારમાં પૂર્વપશ્ચિમ જેટલું અંતર દેખાય છે, ત્યારે તાંબર–દિગંબર સંપ્રદાયને અનુસરનારા તત્વાર્થના વ્યાખ્યાકારમાં તેમ નથી. તેઓ વચ્ચે તત્વજ્ઞાનના મૌલિક વિષયો પર કશો જ ભેદ નથી; જે કાંઈ થોડે ઘણે ભેદ છે તે તદ્દન સાધારણ જેવી બાબતમાં છે અને તે પણ એવો નથી કે જેમાં સમન્વયને અવકાશ જ ન હોય અગર તે પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર હોય. ખરી રીતે તે જૈન તત્વજ્ઞાનના મૂળ સિદ્ધાતિ પરત્વે શ્વેતાંબર–દિગંબર સંપ્રદાયમાં ખાસ મતભેદ જ નથી પડયો; એટલે તેમની તત્વાર્થની વ્યાખ્યાઓમાં દેખાતે મતભેદ એ બહુ ગંભીર ન ગણાય.
તત્ત્વાથધિગમસૂત્રની જ ઉપર લખાયેલી પ્રાચીન, અર્વાચીન, નાની, મોટી સંસ્કૃત અગર લૌકિક ભાષામય અનેક વ્યાખ્યાઓ છે; પણ તેમાંથી જેનું ઐતિહાસિક મહત્વ હોય, જેણે જૈન તત્ત્વજ્ઞાનને વ્યવસ્થિત કરવામાં અને વિકસાવવામાં ફાળો આપ્યો છે, અને જેનું દાર્શનિક મહત્વ હોય એવી ચાર જ વ્યાખ્યાઓ અત્યારે મેજૂદ છે. તેમાંની ત્રણ તે દિગંબર સંપ્રદાયની છે, જે માત્ર સાંપ્રદાયિક ભેદની જ નહિ પણ, વિરોધની તીવ્રતા થયા પછી પ્રસિદ્ધ દિગંબર વિદ્વાનો દ્વારા લખાયેલી છે; અને એક તે સૂત્રકાર વાચક ઉમાસ્વાતિની