________________
અધ્યાય પ-સૂત્ર ૪૩-૪૪ ર૪૯ એ અર્થ એમને વિવક્ષિત હશે. જે આ કલ્પના ઠીક હોય તે કહેવું જોઈએ કે, સૂત્રકારને અનાદિ શબ્દને “આગમપ્રમાણુગ્રાહ્ય અને આદિમાન શબ્દને પ્રત્યક્ષગ્રાહ્ય' એ અર્થ ઇષ્ટ હશે જે આ કલ્પના વાસ્તવિક હોય, તે પરિણામના આશ્રયવિભાગના સંબંધમાં જે કાંઈ ત્રુટિ માલમ પડે છે, તે રહેશે નહિ. તે અર્થ પ્રમાણે સીધો અને સરળ વિભાગ એ થઈ જાય છે કે, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશારિતકાય અને જીવાસ્તિકાય એ અરૂપી દ્રવ્યને પિતાને પરિણામ અનાદિ એટલે કે આગમપ્રમાણગ્રાહ્ય છે, અને પુલને પરિણામ આદિમાન અર્થાત પ્રત્યક્ષગ્રાહ્ય છે, તથા અરૂપી હોવા છતાં પણ છવના રોગ-ઉપગ પરિણામ આદિમાન અર્થાત પ્રત્યક્ષરાહ્ય છે, અથત એના શેષ પરિણામ આગમગ્રાહ્ય છે.