________________
૩૧૮
તત્ત્વાર્થસૂત્ર વિના ક્યાંય પણ મળ, મૂત્ર, લીંટ આદિ ત્યાગવાં, તે “અપ્રત્યેક્ષિત અને અપ્રમાર્જિતમાં ઉત્સર્ગ'; ૨ એ જ પ્રમાણે પ્રત્યક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ લાકડી, બાજઠ વગેરે ચીજો લેવી અને મૂકવી, તે “અપ્રત્યેક્ષિત અને અપ્રમાર્જિતમાં આદાનનિક્ષેપ'; ૩. પ્રત્યવેક્ષણ અને પ્રમાર્જન કર્યા વિના જ સંથારે અર્થાત બિછાનું કરવું કે આસન નાખવું, તે “અપ્રત્યક્ષિત અને અપ્રમાજિક સંસ્તારને ઉપક્રમ'; ૪. પૌષધમાં ઉત્સાહ વિના જ ગમે તેમ પ્રવૃત્તિ કરવી, તે “અનાદર'; ૫. પૌષધ ક્યારે અને કેમ કરવો કે ન કરવો, તેમજ કર્યો છે કે નહિ વગેરેનું સ્મરણ ન રહેવું, તે ઋત્યનુપસ્થાપન.' રિલી
મોમના વતની તિવઃ ૧. કોઈ પણ જાતની વનસ્પતિ વગેરે સચેતન પદાર્થને આહાર, તે “સચિત્ત આહાર'; ૨. ઠળિયા, ગેટલી આદિ સચેતન પદાર્થથી યુક્ત એવાં બોર, કેરી વગેરે પાકાં ફળને આહાર કરે, તે
સચિત્તસંબદ્ધ આહાર'; ૩. તલ, ખસખસ વગેરે સચિત વસ્તુથી મિશ્રિત લાડવા આદિનું ભેજન કે કીડી, કુંથુઆ વગેરેથી મિશ્રિત વસ્તુનું ભજન, તે “સચિત્તસંમિશ્રઆહાર'; ૪. કોઈ પણ જાતનું એક માદક દ્રવ્ય સેવવું અગર વિવિધ દ્રવ્યના મિશ્રણથી પેદા થયેલ દારૂ આદિ રસનું સેવન, તે “અભિષવ આહાર, ૫. અધકચરું રાધેલું કે બરાબર ન રાંધેલું ખાવું, તે “દુષ્પકવ આહાર. [૩૦]
તિથિવિમા તના શનિવારે: ૧. ખાનપાનની દેવા ચોગ્ય વસ્તુને ન ખપે તેવી બનાવી દેવાની બુદ્ધિથી કઈ સચેતન વસ્તુમાં મૂકી દેવી, તે “સચિત્તનિક્ષેપ, ૨. એ જ