Book Title: Tattvarthadhigam Sutrani
Author(s): Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 540
________________ અચાય ૯ - સૂત્ર ૨૯-૩૦ તે તેનું મન ગણતરીના કામમાં અનેક ક્રિયાઓ કરવામાં રોકાયેલું હોઈ, એકાગ્રતાને બદલે વ્યગ્રતાવાળું જ સંભવે છે. તેવી જ રીતે દિવસ, માસ અને તેથી વધારે વખત સુધી ધ્યાન ટકવાની લોકમાન્યતા પણ જૈનપરંપરાને ગ્રાહ્ય નથી; તેનું કારણ તે એમ બતાવે છે કે, વધારે વખત ધ્યાનને લંબાવતાં ઇન્દ્રિયને ઉપઘાત સંભવત હેવાથી, તે અંતર્મુહૂર્તથી વધારે લંબાવવું કઠણ છે. એક દિવસ, એક અહોરાત્ર કે તેથી વધારે વખત સુધી ધ્યાન કર્યું એમ કહેવાનો અર્થ એટલે જ છે કે, તેટલા વખત સુધી ધ્યાનને પ્રવાહ લંબાય અથીત કોઈ પણ એક આલંબનમાં એક વાર ધ્યાન કરી, ફરી તે જ આલંબનનું કાંઈક રૂપાંતરથી કે બીજા આલંબનનું ધ્યાન કરવામાં આવે, અને વળી એ જ રીતે આગળ ધ્યાન કરવામાં આવે, ત્યારે તે ધ્યાનપ્રવાહ લંબાય છે. આ અંતર્મુહૂર્ત કાલપરિમાણ છાઘસ્થિક ધ્યાનનું સમજવું. સર્વજ્ઞમાં ઘટાવાતા ધ્યાનનું કાલપરિમાણ તે વધારે પણ સભ; કારણ કે મન, વચન અને શરીરની પ્રવૃત્તિ વિના સુદઢ પ્રયત્નને વધારે વખત સુધી પણ સર્વજ્ઞ લંબાવી શકે. જે આલંબન ઉપર ધ્યાન ચાલે, તે આલંબન સંપૂર્ણ દ્રવ્યરૂ૫ ન હતાં તેને એક દેશ-કઈ પર્યાય હાય છે; કારણ કે દ્રવ્યનુ ચિંતન એ તેના કઈ ને કઈ પર્યાય દ્વારા જ શક્ય બને છે. [૨૭–૨૮] હવે ધ્યાનના ભેદ કહે છે: आरौिद्रधर्मशुक्लानि । २९ । परे मोक्षहेतू ।३०। આત, રૌદ્ર, ધર્મ અને શુકલ એ ચાર પ્રકાર ધ્યાનના છે.

Loading...

Page Navigation
1 ... 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588