________________
અધ્યાય ૭ - સુત્ર ૪૭
૨૮૯ એટલે પરમાં પિતાપણાની બુદ્ધિ, અને તેથી જ પિતાની પેઠે બીજાને દુઃખી ન કરવાની વૃત્તિ અથવા ઇચ્છા.
૨. માણસને ઘણીવાર પિતાથી ચડિયાતાને જોઈ અદેખાઈ આવે છે, એ વૃત્તિને નાશ ન થાય ત્યાં સુધી અહિંસા સત્ય આદિ ટકી જ ન શકે; તેથી અદેખાઈ વિરુદ્ધ પ્રદગુણની ભાવના કેળવવાનું કહેવામાં આવ્યું છે. પ્રમાદ એટલે પિતાથી વધારે ગુણવાન પ્રત્યે આદર કરો અને તેની ચડતી જોઈ ખુશ થવું તે. આ ભાવનાને વિષય માત્ર અધિક ગુણવાન જ છે; કારણ કે તેના પ્રત્યે જ અદેખાઈ અસૂયા આદિ દુર્વત્તિઓને સંભવ છે.
૩. કોઈને પીડાતા જોઈ જે અનુકપા ન ઊભરાય, તે અહિંસાદિ વતે નભી જ ન શકે; તેથી કરુણ ભાવનાને આવશ્યક માનવામાં આવી છે. એનો વિષય માત્ર કલેશ પામતાં દુખી પ્રાણુઓ છે; કારણ કે અનુગ્રહ અને મદદની અપેક્ષા દુખી, દીન કે અનાથને જ રહે છે.
૪. દરેક વખતે અને દરેક સ્થળે માત્ર પ્રવૃત્યાત્મક ભાવનાઓ જ સાધક નથી થતી; ઘણીવાર અહિ સાદિ તેને ટકાવવામાં માત્ર તટસ્થપણુ જ ધારણ કરવું ઉપયોગી થાય છે, તેથી માધ્યશ્ચભાવના ઉપદેશવામાં આવી છે. માધ્યસ્થ એટલે ઉપેક્ષા કે તટસ્થતા. જ્યારે તદ્દન જડ સંસ્કારનાં અને કાંઈ પણ સદવતુ ગ્રહણ કરવાની યેગ્યતા ન હોય એવાં પા મળે, અને તેમને સુધારવાની પ્રવૃત્તિનું પરિણામ છેવટે તદ્દન શુન્ય જ દેખાય, તે તેવાઓ પ્રત્યે તટસ્થપણું રાખવામાં જ શ્રેય છે. તેથી માધ્યસ્થ ભાવનાને વિષય અવિનય અર્થાત અયોગ્ય પાત્ર એટલો જ છે. त १९