________________
અધ્યાય ૭ = સૂત્ર ૧૨ પાલન અને અનુસરણથી સગુણે વધે તે; અને જે તરફ જવાથી સગુણ ન વધે પણ દેષો જ પથાય, તે અબ્રહ્મ. મિથુન એ એવી પ્રવૃત્તિ છે કે તેમાં પડતાં જ બધા દેનું પિષણ અને સશુને હાસ-ઘસારો શરૂ થાય છે, તેથી મૈથુનને અબ્રા કહેવામાં આવ્યું છે. [૧૧] હવે પરિગ્રહનું સ્વરૂપ કહે છે.
છ gિ ૨૨ મૂછ પરિગ્રહ છે.
મૂચ્છ એટલે આસક્તિ નાની, મોટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે વસ્તુ છે, અને કદાચ ન પણ હો, છતાં તેમાં બધાઈ જવું એટલે તેની પાછળની તાણમાં વિવેકને ગુમાવી બેસ, એ જ પરિગ્રહ છે'
પ્ર–હિસાથી પરિગ્રહ સુધીના પાચ દેનું સ્વરૂપ ઉપરઉપરથી જોતા જુદું લાગે છે ખરું, પણ બારીકીથી વિચારતાં તેમાં કોઈ ખાસ જાતને ભેદ દેખાતું નથી, કાર
કે એ પાંચે કહેવાતા દેના દેષપણાનો આધાર માત્ર રાગ, દ્વેષ અને મેહ છે. રાગ, દ્વેષ અને મેહ જ હિંસા
આદિ વૃત્તિઓનું ઝેર છે અને તેથી જ તે વૃત્તિઓ ટેપ કહેવાય છે. હવે જે આ કથન સાચું છે, તે રાગ ૮પ
આદિ જ દેષ છે એટલું કહેવું બસ છે, તે પછી દેષના હિંસા આદિ પાચ કે તેથી ઓછાવત્તા ભેદ કરી વર્ણવવા શા માટે ?
ઉ–સાચે જ કોઈ પણ પ્રવૃત્તિ રાગ, દ્વેપ આદિને લીધે થાય છે. તેથી રાગ, હેપ આદિ જ મુખ્યપણે દેષ છે અને એ દેશથી વિરમવું એ એક જ મુખ્ય વ્રત છે, તેમ છતાં