________________
અયાય ૭ - સૂત્ર ૧૮
૩૦૯ એમ વિચારે કે, “એ વાત પણ ઠીક અને આ વાત પણ ઠીક' એવી બુદ્ધિની અસ્થિરતા તે “વિચિકિત્સા.' આવી બુદ્ધિની અસ્થિરતા સાધકને એક તત્વ ઉપર સ્થિર કદી જ ન રહેવા દે, તેથી તે અતિચાર છે. ૪-૫. જેમની દષ્ટિ ખોટી હોય તેમની પ્રશંસા કરવી કે પરિચય કરો, તે અનુક્રમે “મિશ્રાદષ્ટિપ્રશંસા” અને “મિચ્છાદષ્ટિસંસ્તવ” અતિચાર છે. ભાત દષ્ટિપણાના દેષવાળી વ્યક્તિઓમાં પણ ઘણી વાર વિચાર, ત્યાગ આદિ ગુણ હોય છે, આ ગુણથી આકર્ષાઈ દેશ અને ગુણને ભેદ કર્યા સિવાય જ તેવી વ્યક્તિની પ્રશંસા કે તેને પરિચય કરવામાં આવે, તે અવિવેકી સાધકને સિદ્ધાંતથી ખલિત થઈ જવાને ભય છે. તેથી જ અન્યદષ્ટિપ્રશંસા અને અન્યદષ્ટિસંસ્તવને અતિચાર કહેલ છે. મધ્યસ્થતા અને વિવેકપૂર્વક ગુણને ગુણ અને દેષને દેશ સમજે તેવા સાધકને આવા પ્રશંસા, સંસ્તવ હાનિકારક થાય જ એવો એકાંત નથી આ પાંચ અતિચારે વતી શ્રાવક અને સાધુ બને માટે સમાન છે, કારણ કે સમ્યકત્વ બનેને સાધારણ ધર્મ છે. [૧]
હવે અને શીલના અતિચારોની સંખ્યા અને અનુક્રમે તેમનું વર્ણન કહે છેઃ
व्रतशीलेषु पञ्च पञ्च यथाक्रमम् । १९ ।
बन्धवधच्छविच्छेदाऽतिमारारोपणाऽन्नपाननिશેષ | ૨૦ |
मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखकियान्यासापहारसाकारमन्त्रभेदाः । २१ ।