________________
અધ્યાય ૫ સૂત્ર ૩૦
૨૨૯ પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરત આવશ્યક છે, તેમ જ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે એ રીતે જડ અથવા ચેતન તત્વ માત્ર જે નિર્વિકાર હોય તો એ બંને તના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી વિવિધતા
ક્યારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિત્યત્વવાદને જૈન દર્શન યુક્તિગત માને છે.
હવે બીજી વ્યાખ્યા વડે, પૂર્વોક્ત સતના નિયંત્વનું વર્ણન કરે છે?
“તમારાઘવે નિત્ય” સત્ પિતાના સ્વભાવથી યુત થતું નથી માટે નિત્ય છે.
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે. આ સ્વરૂપ જ સત કહેવાય છે. સતસ્વરૂપ નિત્ય છે, અર્થાત તે ત્રણે કાળમાં એકસરખુ અવસ્થિત રહે છે. એવું નથી કે કઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ, વ્યય તથા ધાવ્ય ક્યારેક હોય અને ક્યારેક ન હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશ અવશ્ય થાય છે, એ જ સત નું નિયત્વ છે.
પિતાપિતાની જાતિને ન છેડવી એ જ બધાં દ્રવ્યાનું ધ્રૌવ્ય છે અને પ્રત્યેક સમયમાં ભિન્નભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમને ઉત્પાદવ્યય છે. દ્રાવ્ય તથા ઉત્પાદધ્યયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે.
આ ચક્રમાંથી ક્યારે પણ કઈ અંશ મુક્ત – લુપ્ત થતું નથી, એ જ આ સૂત્ર દ્વારા બતાવ્યું છે. પૂર્વ સૂત્રમાં