________________
અધ્યાય ૩- સૂત્ર ૧૧ - ૧૪૭ સખત શરદીમાં આવી જાય તે તેઓ ખૂબ આરામથી ઊંઘી શકે.
વિશિયાઃ એમની વિક્રિયા પણ ઉત્તરોત્તર અધિક અશુભ હેય છે. તેઓ દુઃખથી ગભરાઈને એનાથી છૂટવાને માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઊલટી જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સુખનું સાધન મેળવવા જતા એમને દુઃખનાં સાધન જ મળી જાય છે. તેઓ વૈક્રિયલબ્ધિથી બનાવવા જાય છે શુભ, પરંતુ બની જાય છે અશુભ.
પ્ર–લેસ્થા આદિ અશુભતર ભાવેને નિત્ય કહ્યા એને શો અર્થ?
ઉ–નિત્યને અર્થ નિરતર છે. ગતિ, જાતિ, શરીર અને અપાંગ નામકર્મના ઉદયથી નરકગતિમાં ક્યા આદિ ભાવે જીવન પર્યત અશુભ જ બની રહે છે; વચમાં એક પળને માટે ક્યારે પણ અંતર પડતું નથી, અને એક પળભર શુભ પણ થતા નથી. [૩].
પ્રથમ તે નરકમાં ક્ષેત્ર સ્વભાવથી જ શરદી–ગરમીનું ભયંકર દુખ તે હોય છે જ, પરંતુ ભૂખ અને તરસનું દુખ એનાથી પણ વધારે ભયકર હોય છે. ભૂખનુ દુખ એટલું અધિક હોય છે કે અગ્નિની માફક બધુ ખાતાં પણ શાંતિ થતી નથી, ઊલટુ ભૂખની જવાલા તેજ થતી જાય છે તરસનુ કષ્ટ એટલું અધિક છે કે ગમે તેટલું પાણી હોય તે પણ એનાથી તૃપ્તિ થતી જ નથી. આ દુખ ઉપરાંત વધારે મોટું દુખ તો એમને પરસ્પરમાં વૈર અને મારપીટથી થાય છે. જેમ બિલાડી અને ઉંદર તથા સાપ અને નેળિયે જન્મશત્રુ છે, તેમ જ નારક છો પણ જન્મશત્રુ છે.