________________
અધ્યાય ૪- સૂત્ર ૧૧૨૦ દિશામાં સિહાકૃતિ, દક્ષિણ દિશામાં ગજાકૃતિ, પશ્ચિમ દિશામાં બળદરૂપધારી અને ઉત્તર દિશામાં અશ્વરૂપધારી દેવ વિમાનની નીચે જોડાઈને ભ્રમણ કર્યા કરે છે. [૧૪]
મનુષ્યલેકમાં મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, આદિ; અતીત, વર્તમાન આદિ; તથા સંખ્યય, અસંખ્યય આદિ રૂપે અનેક પ્રકારને કાળવ્યવહાર થાય છે; એની બહાર નહિ. મનુષ્યલોકની બહાર જો કોઈ કાળવ્યવહાર કરવાવાળું હોય અને એ વ્યવહાર કરે તે પણ તે મનુષ્યલોકમાં પ્રસિદ્ધ વ્યવહાર પ્રમાણે જ; કેમ કે વ્યાવહારિક કાળવિભાગને મુખ્ય આધાર માત્ર નિયત યિા છે. આવી ક્રિયા સૂર્ય, ચંદ્ર આદિ જ્યાતિષ્કની ગતિ જ છે; ગતિ પણ સર્વ જ્યોતિષ્કામાં સર્વત્ર હોતી નથી, ફક્ત મનુષ્યલોકમાં વર્તતા જ્યોતિષ્કામાં જ હોય છે એથી માનવામાં આવે છે કે કાળને વિભાગ
તિષ્કાની વિશિષ્ટ ગતિ ઉપર જ નિર્ભર છે. દિન, રાત, પક્ષ આદિ જે સ્થૂલસ્થૂલ કાળવિભાગ છે તે સુર્ય આદિ
જ્યોતિષ્કની નિયત ગતિ ઉપર અવલંબિત હેવાથી એનાથી જાણી શકાય છે, સમય, આવલિકા આદિ સૂક્ષ્મ કાળવિભાગ એનાથી જાણી શકાતા નથી. અમુક નિયત સ્થાનમાં જે સૂર્યનું પ્રથમ દર્શન થાય છે અને અમુક સ્થાનમાં જે તેનું અદર્શન થાય છે તે ઉદયાસ્ત છે. એ ઉદયાસ્ત વચ્ચેની સૂર્યની ક્રિયાથી દિવસને વ્યવહાર થાય છે. આ રીતે જ સૂર્યના અસ્તથી તે ઉદય સુધીની ક્રિયાથી રાતને વ્યવહાર થાય છે. દિન અને રાતને ત્રીસમો ભાગ મુહૂર્ત છે, પંદર દિન, રાત એ પક્ષ કહેવાય છે, બે પક્ષને માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનુ અયન, બે અયનનું વર્ષ, પાંચ વર્ષને યુગ