________________
અધ્યાય ૩- સૂત્ર ૧
૧૪૯ Rારની સ્થિતિ. દરેક ગતિના જીવની સ્થિતિ આયુમર્યાદા જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારની બતાવવામાં આવી છે. જેનાથી ઓછું ન હોઈ શકે તે જધન્ય અને જેનાથી અધિક ન હોઈ શકે તે ઉત્કૃષ્ટ. આ જગ્યાએ નારકેની ફક્ત ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે. જઘન્ય સ્થિતિ આગળ બતાવવામા આવશે. પહેલીમાં એક સાગરેપની, બીજીમાં ત્રણની, ત્રીછમાં સાતની, ચોથીમાં દસની, પાંચમીમાં સત્તરની, છઠ્ઠીમાં બાવીસની અને સાતમીમા તેત્રીસ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
અહીં સુધી સામાન્ય રીતે અલેકનું વર્ણન પૂરું થાય છે. એમા બે બાબતે ખાસ જાણી લેવી જોઈએ ? ગતિઆગતિ અને દ્વીપસમુદ્ર આદિન સભવ.
mતિઃ અસંશી પ્રાણુ ભરીને પહેલી ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે, આગળ નહિ, ભુજપરિસર્ષ પહેલી બે ભૂમિ સુધી, પક્ષી ત્રણ ભૂમિ સુધી, સિહ ચાર ભૂમિ સુધી, ઉરગ પાંચ ભૂમિ સુધી, સ્ત્રી છે ભૂમિ સુધી અને મત્સ્ય તથા મનુષ્ય મરીને સાત ભૂમિ સુધી જઈ શકે છે. સારાંશ કે તિર્યંચ અને મનુષ્ય જ નરક ભૂમિમાં પેદા થઈ શકે છે, દેવ અને નારક નહિ; કારણ કે એમનામાં એવા અધ્યવસાયનો અભાવ છે. નારક મરીને ફરી તરત જ નરક ગતિમાં પેદા થતો નથી; અને તરત જ દેવગતિમાં પણ પેદા થતો નથી, એ ફક્ત તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પેદા થઈ શકે છે.
૧ જુઓ અ. ૪ સૂ૦ ૪૩-૪૪,