________________
૧૫
અધ્યાય ૩-સૂત્ર ૧૮ –એટલી છે જે ચાલીસ જન ઊંચી છે; અને જે મૂળમાં બાર એજન, વચમાં આઠ જન અને ઉપર ચાર એજન પ્રમાણુ લાંબી-પહોળી છે.
જબૂદીપમાં મુખ્યતયા સાત ક્ષેત્ર છે. તે “વંશ', વર્ષ', અથવા “વાસ્થ' કહેવાય છે. તેમાં પહેલું ભરત છે તે દક્ષિણ તરફ છે. ભારતની ઉત્તરે હૈમવત, હેમવતની ઉત્તરે હરિ, હરિની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્યકની ઉત્તરે હરણ્યવત અને હેરણ્યવતની ઉત્તરે ઐરાવત છે. વ્યવહારસિદ્ધ દિશાઓના નિયમ પ્રમાણે મેરુ પર્વત સામે ક્ષેત્રોના ઉત્તર ભાગમાં રહે છે.
સાતે ક્ષેત્રને એક બીજાથી જુદાં પાડવા માટે તેમની વચમાં છ પર્વત છે, તે “વર્ષધર' કહેવાય છે. તે બધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભારત અને હૈમવત ક્ષેત્રની વચ્ચે હિમવાન પર્વત છે, હૈમવત અને હરિવર્ષને જુદા પાડનાર મહાહિમાવાન છે, હરિવર્ષ અને વિદેહને નિષધ પર્વત જુદા પાડે છે, વિદેહ અને રમ્યવર્ષની વચમાં નીલ પર્વત છે, રમ્યક અને હેરણ્યવતને રુકમી પર્વત ભિન્ન કરે છે, હરણ્યવત અને ઐરાવતને જુદા પાડનાર શિખરી પર્વત છે. [૯-૧૧]
૧. દિશાનો નિયમ સૂર્યના ઉદયાસ્ત ઉપર અવલંબિત છે. સૂર્યની તરફ મોઢું કરી ઊભા રહેતા ડાબી બાજુએ ઉત્તર દિશામાં મેરુ પર્વત છે ભરત ક્ષેત્રમાં સૂર્યાસ્તની જે દિશા છે, તે ઐરાવતમાં સૂર્યોદયની છે તેથી ત્યાં પણ સૂર્યોદય તરક મોટું કરતા મેરુ ઉત્તર દિશામાં જ પડે છે. આ રીતે બીજે ક્ષેત્રમાં પણ મેરનું ઉત્તરવર્તિપણે સમજી લેવું.