________________
અધ્યાય ૧- સૂત્ર ૩૨-૩૩ મતિ, મૃત આદિ પાંચે, ચેતનાશક્તિના પર્યાય છે. એમનું કાર્ય પોતપોતાના વિષયને પ્રકાશિત કર એ છે. એથી તે બધાં જ્ઞાન કહેવાય છે, પરંતુ એમાંથી પહેલાં ત્રણ, જ્ઞાન અને અજ્ઞાન રૂપ મનાયાં છે; જેમ કે, મતિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિઅજ્ઞાન – વિર્ભાગજ્ઞાન.
પ્ર–મતિ, કૃત, અને અવધિ એ ત્રણ પર્યાય પિતાના વિષયને બંધ કરાવતા હોવાથી જે તેઓ જ્ઞાન કહેવાય છે, તે પછી તેમને અજ્ઞાન કેમ કહેવામાં આવે છે? કેમ કે જ્ઞાન અને અજ્ઞાન એ બન્ને શબ્દ પરસ્પર વિરુદ્ધ અર્થના વાચક હેવાથી એક જ અર્થમાં પ્રકાશ અને અંધકાર શબ્દની માફક લાગુ પડી શકે નહિ.
ઉ૦–અલબત્ત એ ત્રણે પર્યાય લૌકિક સંકેત પ્રમાણે જ્ઞાન તે છે જ; પરંતુ અહીંયાં એમને જ્ઞાન અને અજ્ઞાનરૂપ કહ્યા છે તે શાસ્ત્રીય સંકેત પ્રમાણે આધ્યાત્મિક શાસ્ત્રને એ સંકેત છે કે મિથ્યાદષ્ટિના મતિ, કૃત અને અવધિ એ ત્રણે જ્ઞાનાત્મક પર્યાયે અજ્ઞાન જ છે, અને સમ્યગ્દષ્ટિના ઉકત ત્રણે પર્યાયો જ્ઞાન જ માનવા જોઈએ.
પ્ર–એ અસંભવિત છે કે ફકત સમ્યગ્દષ્ટિ આત્મા જ પ્રામાણિક વ્યવહાર ચલાવે છે અને મિથ્યાષ્ટિ ચલાવતા નથી. એ પણ અસંભવિત છે કે સમ્યગ્દષ્ટિને સંશય તેમ જ બ્રહ્મસ્વરૂપ મિથ્યાજ્ઞાન બિલકુલ ન જ હોય અને મિથ્યાષ્ટિને તે હંમેશાં હેય જ, એ પણ બરાબર નથી કે ઈકિયાદિ સાધન સમ્યગ્દષ્ટિનાં તે પૂર્ણ તથા નિર્દોષ જ હોય અને મિથ્યાદષ્ટિનાં અપૂર્ણ તથા દુષ્ટ જ હેય. એ પણ કોણ કહી શકે