________________
૧૨૯
અસ્થાય સૂત્ર ૩૭૪૯ પ્ર–એવી બારીકીથી જોઈએ તે કાર્મણશરીર કે જે તૈજસની જેમ સેંદ્રિય અને સાવયવ નથી, તેને પણ ઉપભેગ ઘટી શકે; કેમ કે તે જ અન્ય સર્વ શરીરનું મૂળ છે. આથી અન્ય શરીરના ઉપગ ખરું જોતાં કાર્મણના જ ઉપભેગ માનવા જોઈએ; તે પછી એને નિરુપગ કેમ કહ્યું?
ઉ૦-ડીક છે, એ રીતે જોતાં તે કાર્મણ પણ સોપગ છે જ. અહીયાં એને નિરુપગ કહેવામાં અભિપ્રાય એટલો જ છે કે, જ્યાં સુધી અન્ય શરીર સહાયક ન હોય, ત્યાં સુધી એકધુ કાશ્મણશરીર ઉપભોગને સાધી શકતું નથી. અર્થાત્ ઉક્ત વિશિષ્ટ ઉપભોગને સિદ્ધ કરવામાં સાક્ષાત સાધન ઔદારિક આદિ ચાર શરીર છે. આથી તે ચાર સોપાગ – ઉપભોગ સહિત – કહેવાય છે; અને પર પરાથી સાધન હોવાને લીધે કાશ્મણને નિરૂપભેગ કહેવામાં આવ્યું છે. [૪૫].
કસિત અને શત્રમતા : છેવટે એક એ પણ પ્રશ્ન થાય છે કે કેટલાં શરીર જન્મસિદ્ધ છે અને કેટલાં કૃત્રિમ છે? તથા જન્મસિદ્ધમાં કયું શરીર કયા જન્મથી પેદા થાય છે અને કૃત્રિમનું કારણ શું છે? આને ઉત્તર ચાર સૂત્રમાં આવે છે. - તેજસ અને કાર્મણ એ છે તે જન્મસિદ્ધ પણ નથી, અને કૃત્રિમ પણ નથી; અર્થાત તે જન્મની પછી પણ થાય છે, છતાં છે અનાદિસંબદ્ધ. ઔદારિક જન્મસિદ્ધ જ છે, એ ગર્ભ તથા સંછિમ એ બને જન્મમાં પેદા થાય છે. તેને સ્વામી મનુષ્ય અને તિર્યંચ જ છે. વૈશ્ચિયશરીર જન્મસિદ્ધ અને કૃત્રિમ બે પ્રકારનું છે. જે જન્મસિદ્ધ છે તે ઉ૫પાત
त ६