________________
१०३ દાખલા તરીકે, પહેલા અધ્યાયના પહેલા સૂત્રના ભાષ્યમાં સમ્યફ” શબદ વિષે લખ્યું છે કે, “સમ્યફ” એ નિપાત છે અથવા “સમ' ઉપસર્ગપૂર્વક “અરૂ' ધાતુનું રૂપ છે. આ જ બાબતમાં સર્વાર્થસિદ્ધિકાર લખે છે કે, “સમ્યફ” શબ્દ અવ્યુત્પન્ન એટલે વ્યુત્પત્તિ વિનાને અખંડ છે, અથવા વ્યુત્પન્ન એટલે ધાતુ અને પ્રત્યય બને મળી વ્યુત્પત્તિપૂર્વક સિદ્ધ થયેલો છે. “અઝુ” ધાતુને “વિપુ” પ્રત્યય લગાડવામાં આવે ત્યારે “મુતિ ”એ રીતે “સમ્યફ' શબ્દ બને છે. “સમ્યફ શબ્દવિષયક નિરૂપણની ઉક્ત બે શૈલીમાં ભાષ્ય કરતાં સિદ્ધિની સ્પષ્ટતા વિશેષ છે. એ જ રીતે ભાષ્યમાં દર્શન' શબ્દની વ્યુત્પત્તિ વિષે ફક્ત એટલું જ લખ્યું છે કે, “દર્શન' એ “દશિ' ધાતુનું રૂપ છે; જ્યારે સિદ્ધિમાં દર્શન’ શબ્દની ત્રણ રીતે વ્યુત્પત્તિ સ્પષ્ટ બતાવવામાં આવી છે. ભાષ્યમાં જ્ઞાન અને ચારિત્ર શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ જણાવી નથી; જ્યારે સિદ્ધિમાં એ બને શબ્દની વ્યુત્પત્તિ ત્રણ રીતે સ્પષ્ટ જણાવી છે અને પછી તેનું જન દૃષ્ટિએ સમર્થન કરવામાં આવ્યું છે. એ જ રીતે દર્શન અને જ્ઞાન શબ્દમાંથી પહેલો સમાસમાં કેણું આવે અને પંછી કેશુ આવે એ સામાસિક ચચ ભાષ્યમાં નથી; જ્યારે સિદ્ધિમાં તે સ્પષ્ટ છે. એ જ રીતે પહેલા અધ્યાયના બીજા સૂત્રના ભાષ્યમાં “તત્વ' શબ્દના ફક્ત બે અર્થ સૂચવવામાં આવ્યા છે જયારે સિદ્ધિમાં એ બને અથેની ઉપપત્તિ કરવામાં આવી છે, અને “દશિ' ધાતુને શ્રદ્ધા અર્થ કેમ થે એ બાબત પણ દર્શાવવામાં આવી છે, જે ભાષ્યમાં નથી.