________________
અધ્યાય ૧-સૂત્ર ૧૮-૧૯ થાય છે, કે આ શું છે? એ જ સામાન્ય જ્ઞાન છે કે જે પહેલવહેલું શબ્દને સ્કુટ રીતે જાણે છે. ત્યાર પછી વિશેષ જ્ઞાનને ક્રમ શરૂ થાય છે જેમ થોડાક સમય સુધી પાણીનાં ટીપાં પડવાથી જ તે રૂક્ષ શરા ધીમે ધીમે ભીનું થાય છે અને એમાં પાણી દેખાવા લાગે છે, તેમ જ કેટલાક સમય સુધી શબ્દપુને સંગ રહેતે હેવાથી તે ઊંઘતા માણસના કાન ભરાઈ જવાને લીધે એ શબ્દોને સામાન્ય રૂપે જાણે છે અને પછી શબ્દોની વિશેષતાઓને જાણે છે. જો કે આ ક્રમ ઊંઘતાની માફક જાગતા માણસને માટે પણ લાગુ પડે છે તે પણ તે એટલો શીધ્રભાવી હોય છે કે સાધારણ લેકેના ધ્યાનમાં તે મુશ્કેલીથી આવે છે. આથી શરાવની સાથે જ ઘતાનુ સામ્ય બતાવ્યું છે.
પક્રમિક જ્ઞાનધારા માટે અરીસાનુ દષ્ટાંત ઠીક છે. અરીસાની સામે કઈ વસ્તુ આવે કે તુરત જ એમાં એનું પ્રતિબિંબ પડી જાય છે અને તે દેખાય છેઆને માટે અરીસાની સાથે પ્રતિબિબિત વસ્તુના સાક્ષાત સંગની જરૂર રહેતી નથી, જેમ કાનની સાથે શબ્દોને સાક્ષાત સાગની જરૂર હોય છે. ફક્ત પ્રતિબિંબગ્રાહી દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુનું ચગ્ય સ્થળમાં સન્નિધાન આવશ્યક છે; આવું સન્નિધાન થતાં જ પ્રતિબિંબ પડી જાય છે અને તે તુરત જ દેખાય છે. આ રીતે આંખની આગળ કઈ રંગવાળી વસ્તુ આવી કે તરત જ તે સામાન્ય રૂપે દેખાય છે. આને માટે નેત્ર અને એ વસ્તુને સંગ અપેક્ષિત નથી, જેવી રીતે કાન અને શબ્દોને સંગ અપેક્ષિત છે. ફક્ત દર્પણની