Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
માન જમાલિ જન્મ હારી ગયા. તેનું શું કારણ ? માપતુષ પાસે વિનય હતો, જમાલિ પાસે ન્હોતો.
* ઇન્દ્રિય-વિજેતાની જ નિર્મળ કીર્તિ ફેલાય. લોલુપી માણસ કીર્તિની આશા રાખી શકે નહિ.
* ધન વગરનો માણસ ગરીબ, નિપુણ્યક, ભાગ્યહીન કહેવાય. વિનય વગરનો સાધુ મહાનિખુણ્યક કહેવાય.
* પૂર્વજન્મની સાધનાના ફળો આ જન્મમાં આપણે ભોગવી રહ્યા છીએ. પણ હવે આ ભવમાં સાધના નહિ કરીએ તો આગામી જન્મમાં શું થશે ?
* ચારેય દુર્લભ ચીને આપણને [માધુરં તુ સદ્ધ, સંગમ ગ વરિષ] મળી છે, એમ વ્યવહારથી કહી શકાય, પણ એનું આપણને મૂલ્ય કેટલું ?
* કોઈ અવિનીત, આચાર્યના ગુણો છૂપાવે, આચાર્યની અપકીર્તિ થાય તેવું વર્તે, તે ઋષિઘાતકના લોક નિરક]માં જાય, એમ અહીં લખ્યું છે.
મિથ્યાત્વ વિના આવું ન થઈ શકે. મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમની છે.
ઘોર મિથ્યાત્વ જ આવી વિચારણા આપે.
* બધી વિદ્યાઓનું મૂળ વિનય છે. બધી વિદ્યાઓના રહસ્યો પામવા હોય તો વિનયને પકડી લો. એક ક્રોડ રૂપિયાનો ચેક કોઈ આપી દે તો એણે શું આપ્યું કહેવાય ? મકાન, દુકાન વગેરે બધું જ આવી ગયું ને ? વિનયમાં પણ બધું જ આવી ગયું.
વિશીલ શિષ્યના લઠ્ઠાણી : A. સરળ : દા.ત. મુક્તાનંદ વિજયજી ! એકદમ સરળ. પૂ. દેવેન્દ્રસૂરિજી અત્યંત સરળ હતા. અમે કેટલીયે વાર અનુભવ્યું છે. શ્રાવકોમાં ગાંધીધામવાળા દેવજીભાઈ યાદ આવે. લાખનું કામ બતાવો. તરત જ કરી આપે. એ પણ અત્યંત
૪૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ