Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આપ્યું છે. જિંદગીના છેડા સુધી આ ગુણઠાણાને સ્પર્શે તેવો ભાવ પેદા ન થાય તો શું કામનું ?
* પ્રભુએ એવી સાધના કરી કે તે ધર્મ તેમને આત્મસાત બની ગયો. ધર્મ ઉપર પ્રભુની માલિકી થઈ ગઈ. જેમ ચક્રવર્તીને નગરો-ગામડા બધા આધીન થઈ જાય તેમ પ્રભુને ત્રણેલોક અરે, સર્વ ગુણો આધીન થઈ ગયા.
લલિતવિસ્તરા' ગ્રંથ વાંચતાં આ પદાર્થો સવિશેષ સમજાશે.
“સુલસા આદિ ૯ જણને ભગવાને તીર્થંકર પદ આપ્યું” આમ પં. વીરવિજયજીએ કહ્યું છે તે બરાબર છે ? સુલસાદિક નવ જણને જિન-પદ દીધું રે...”
– વીરવિજયજી. આ નવને પ્રભુએ તીર્થંકરપદ આપ્યું કે તેઓ પોતાની સાધનાથી પામ્યા ? બીજા કેમ ન પામ્યા ? ને તે નવ જ કેમ પામ્યા ?
તે નવનો પ્રકૃષ્ટ યોગ હતો માટે. વળી તે નવ ને પણ પહેલા કેમ તીર્થંકર નામ ન મળ્યું ને પ્રભુની હાજરીમાં જ કેમ નિકાચિત થયું ? એ વિચારશો તો પ્રભુની મુખ્યતા સમજાશે.
ઈન્દ્રભૂતિ આદિમાં ગણધરપદની યોગ્યતા હોય તો જે વખતે યજ્ઞ કર્યો ત્યારે ગણધરપદ કેમ ન પામ્યા ? તમને ઉપાદાન મુખ્ય દેખાતું હશે. મને પ્રભુ મુખ્ય દેખાય છે.
ભૂખ હોવા છતાં ભોજનની સામગ્રી ન હોય તો શું કરો ? ભૂખ ભાંગે ? ભોજનની સામગ્રીનો ઉપકાર માનો કે નહિ ? તેમ ગમે તેટલા જીવ યોગ્ય હોય પણ સામે પમાડનાર ન હોય તો શું કરે ?
કોડિયામાં તેલ-વાટ બધું જ છે, પણ પ્રકાશિત ક્યારે થાય ? આટલી યોગ્યતા હોવા છતાં જલતી જ્યોતમાં તેને મેળવવામાં ન આવે ત્યાં સુધી પ્રકાશ આવતો નથી. પ્રભુ સન્મુખ ન બનીએ ત્યાં સુધી આપણે પ્રભુમય બની શકતા નથી.
ભગવાન કાંઈ કરતા નથી. આપણો ઉદ્યમ કામ કરે છે. એવું
૨૪૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ