Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
'
એક ગુણીની સેવા કરો, તેને નમસ્કાર કરો તો જગતમાં રહેલા સર્વ ગુણીને નમસ્કાર થાય. તેની સેવાનો લાભ મળે. માટે જ એક તીર્થંકરનું અપમાન કરો તો બધા તીર્થંકરનું અપમાન થાય. એક ગુરુનું અપમાન થાય તો સર્વ ગુરુનું અપમાન થાય. પર્લાયમાંથી એક કાયની વિરાધના કરો તો બધા કાયની વિરાધના થાય. ભૂતકાળમાં આ રીતે ઘણા કર્મો બાંધ્યા - હવે એને છોડવા છે. તો ભલે હમણા જ્ઞાન ઓછું આવડે, પણ કમ સે કમ બહુમાન તો રાખી શકો ને ?
ગુણનો પ્રવેશ કરાવવો હોય તો એનું દ્વાર છે : ગુણોનું બહુમાન.
* સમ્યગ દર્શન ભગવાનને – ગુરુને પોતાના માને છે. આપણે ભગવાનને, ગુરુને પોતાના માનીએ ? ભગવાન તો બધાના છે. મારા નહિ-એવું માનો છો ? આ વસ્તુ બધાની છે. એમ કહીએ તો તમને મમતા જાગે ? આ વસ્તુ મારી છે કહો તો ક્વી મમતા જાગે ?
* ભગવાને જેને છોડ્યા તેને આપણે પકડી લીધા છે. ભગવાને જેને છોડ્યા તેનો હવે આપણે સંગ્રહ કરીએ ?
- જ્યારે કોઈ વસ્તુ લેવાનું મન થાય ત્યારે વિચારો : મારા પ્રભુએ આ વસ્તુ લીધી'તી ? જ્યારે ક્રોધ આવવાનો હોય ત્યારે વિચારજો : મારા પ્રભુએ ક્રોધનો સ્વીકાર ર્યો છે કે ત્યાગ કર્યો છે?
* જ્ઞાની મુનિએ એક ખેડૂતને પ્રતિજ્ઞા આપી : “મન કહે તેમ નહિ કરવાનું.’
તેને ભૂખ, તરસ, તડકો લાગવા માંડ્યા છતાં તેણે ખાધું-પીધું નહિ કે તે છાંયડામાં ગયો નહિ. કારણ કે મન કહે તેમ કરવાનું નથી. ઊભો હતો છતાં બેઠો નહિ. કારણ કે મન કહે તેમ કરવાનું નથી.
આમ તેને ધ્યાન લાગી ગયું. મનનું નહિ માનવાનો દઢ સંકલ્પ તેને મનની પેલે પાર લઈ ગયો. થોડીવારમાં તેને કેવળજ્ઞાન થઈ ગયું.
“ભગવાને કહ્યું છે તેમ મારે કરવાનું” આટલો સંકલ્પ આપણે કરી લઈએ તો બેડો પાર થઈ જાય.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૦૧