Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
વૈિશાખ વદ-૬ ૨૪-૫-૨૦૦૦, બુધવાર
* મોટો તરવૈયો પણ મહાસાગર એકલા હાથે તરી શકે નહિ. મહાસાધક પણ આ ભવ-સાગર પોતાની મેળે તરી શકે નહિ. ભક્તિના જહાજનું, સંયમના જહાજનું શરણું લેવું જ રહ્યું.
* ૧૫ દુર્લભ ચીજોમાં માત્ર ત્રણ જ બાકી છે : ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન અને મોક્ષ. હવે જે ધ્યાન ન રાખ્યું તો નાવડી કિનારે આવી ડૂબી જશે.
* કેટલાક કાર્યનો પ્રારંભ જ ન કરે. કેટલાક કાર્યનો પ્રારંભ કરે પણ વચ્ચે છોડી દે. કેટલાક કાર્યનો પ્રારંભ કરે અને પાર પણ પહોંચાડે.
આપણે કોના જેવા ? સિંહની જેમ સંયમ લઈને સિંહની જેમ પાળનારાઓનું અહીં કામ છે. અહીં સિંહની છાતી જોઈએ. શિયાળની છાતી લઈને ફરનારાઓનું અહીં કામ નથી.
સંયમમાં આનંદ, શુભ ધ્યાન વધતા રહેવા જોઈએ. ન વધે તો સમજવું : આપણા હૃદયમાં શિયાળ બેઠું છે.
હૃદયમાં સિંહને બેસાડો. સિંહ કદી પુરુષાર્થ-હીન ન હોય. પ્રારંભ કરેલા કાર્યને પૂર્ણ કરવામાં પૂરા હૃદયથી મચી પડે તે સિંહ. * સાધુનું એક વિશેષણ છે : “પરોવયાર નિરયા” સાધુ સદા
૨૯૦ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ