Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અભયશેખર વિજયજી] દરેક ગૃપને આપવામાં આવશે. તમને બધાને એ પુસ્તક મળશે. ખૂબ જ મનનપૂર્વક વાંચજો.
નૂતન પૂજ્ય આચાર્યશ્રી :
મારે કશું નવું નથી કહેવું માત્ર પૂજ્યશ્રીની વાત તમારા કાન સુધી પહોંચાડવી છે.
તમે હૃદયપૂર્વક એ વાતો સ્વીકારી, કાગળમાં નિયમો બનાવી, લખીને પૂજ્યશ્રીને આપશો.
ભાવનગર - શિહોરથી અમે આવીએ ત્યારે વંદન પહેલા તમારું આ પ્રતિજ્ઞા – પુષ્પ પૂજ્યશ્રીને અર્પણ કરશો.
આ મોટી ગુરુ-ભક્તિ હશે.
બારી અને દરવાજો દરવાજો : હું મોટો છું. મારા દ્વારા જ પ્રવેશ-નિર્ગમ થઈ શકે છે. મારું જગતમાં માન
છે.
બારી ? શાની ડંફાસ ઠોકે છે ? તું ભલે ગમે તેટલો મોટો હોય તોય માલિકને તારા પર જરાય વિશ્વાસ નથી. રાતે કે બહાર જાય ત્યારે તરત જ તેને બંધ કરી દેવામાં આવે છે. કારણ કે તું ચોર-ડાકને રોકી શક્તો નથી. હું તો માલિકની પરમ વિશ્વાસુ છું તેથી મને સદા ખુલી રાખવામાં આવે છે અને હું માલિકને સદા હવા અને પ્રકાશ આપું છું.
૩૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ