Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ વદ-૬ ૨૩-૬-૨૦૦૦, શુક્રવાર
मिच्छत्तं वमिऊणं सम्मत्तंमि धणियं अहिगारो । कायव्वो बुद्धिमया, मरण-समुग्घायकालंमि ॥१४९।।
* જીવ પોતાના સ્વરૂપને ઓળખે ત્યારે જ સાચા અર્થમાં “જીવ' કહેવાય.
જીવ હોવા છતાં આપણે આપણને “શરીર માનીએ છીએ. દેહમાં આત્મબુદ્ધિ ન ટળે ત્યાં સુધી “જીવ' શી રીતે ?
આ માનવ-દેહ એટલા માટે મળ્યો છે : દેહમાં રહેલો દેવ ઓળખાય, અનંતા જન્મો દેહમાં આત્મબુદ્ધિ કરી-કરીને એળે ગયા છે. આ જન્મમાં દેહમાં દેવના દર્શન કરવાના છે.
આ જ સમ્યગદર્શન છે. એ ન મળે ત્યાં સુધી જીવન સફળ ન ગણાય.
અત્યારે દ્રવ્યસમ્યકત્વાદિનો આરોપ કરીને તે આપવામાં આવે છે. ગીતાર્થો જાણે છે કે આ દ્રવ્ય સમક્તિ છે. પણ સાથે-સાથે એ પણ જાણે છે : આ શાહુકાર છે. ભવિષ્યમાં આપી દેશે. અત્યારે સમક્તિ ભલે નથી. ભવિષ્યમાં ઉત્પન્ન કરી લેશે.
જ્ઞાન વધતું જાય તેમ સમક્તિ નિર્મળ બનતું જાય. સમક્તિ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૯૦