Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
જેઠ વદ-૧૦ ૨૭-૬-૨૦00, મંગળવાર
परमत्थाउ मुणीणं, अवराहो नेव होइ कायव्यो । छलियस्स पमाएणं, पच्छित्तमवस्स कायव्वं ।।१५३।।
* પરમ પુણ્યોદયે જિન-ધર્મોપદેશ સાંભળવા મળે. સાક્ષાત્ તીર્થંકર પાસેથી ન મળે, પણ એમની પરંપરામાં આવેલા સદ્દગુરુ પાસેથી સાંભળવા મળે, એ પણ મહાપુણ્યોદય છે.
* દીર્ઘ સંસારીને જ દેવ-ગુરુની આશાતના કરવાનું મન થાય. આશાતના કરવાનું મન થાય તે જ ભાવિ દીર્ઘ સંસારની સૂચના છે.
આરાધક આત્મા દોષો ન લાગે તેની કાળજી કરે જ. સભ્ય માણસ કપડામાં ડાઘ ન લાગે તેની ચિંતા કરે જ.
* પ્રથમ ગણધર, તીર્થના આધારભૂત શ્રી ગૌતમસ્વામી જેવાને પણ ભગવાન કહેતા હતા : “સમયે પોયમ મા પમાય, ''
હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરીશ નહિ.”
પ્રમાદ જ અપરાધ કરાવે છે. સબુદ્ધિ-જન્ય વિવેકથી જ પ્રમાદને અટકાવી શકાય.
પ્રમાદાચરણ કરવાનું મન થાય ને અંદરથી અવાજ આવે : આ કરવા જેવું નથી. આ અવાજ સબુદ્ધિનો છે, જે સબુદ્ધિ
૪૨૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ