Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કરવાનો છે.
* આશ્રવથી દૂર થાઓ
સંવરમાં સ્થિર થાઓ.
આ જ એક માત્ર પ્રભુની મુખ્ય આજ્ઞા છે. સમ્યગુદર્શન આવતાં જ વિચારોમાં એકદમ સ્પષ્ટતા આવી જાય છે ને કોઇ પણ કાર્ય કરતાં પહેલા તે વિચારે છે : આ મારા ભગવાનની આજ્ઞા છે ? હું આજ્ઞામાં છું કે આજ્ઞાથી બહાર છું ? .
આટલો જ વિચાર તમને ઘણા અકાર્યોથી અટકાવી દેશે. '
* શરણાગતિ, દુષ્કૃત-ગહ, સુકૃત-અનુમોદના -આરાધનાના આ ત્રણ સોપાનો મોહને હટાવવા માટેના શ્રેષ્ઠ ઉપાયો છે.
* “શરીર એ હું, શરીર સાથે સંકળાયેલા મકાન, દુકાન, પરિવાર આદિ મારા' આવી વૃત્તિ મોહ તરફથી મળેલું વળગણ છે. એને તોડવા એનાથી વિપરીત ભાવના જોઈએ.
હું એટલે આત્મા. મારું એટલે જ્ઞાનાદિગુણો. આ મોહને જીતવાનો પ્રતિમંત્ર છે.
અત્યાર સુધી હંમેશા મોહ જીતતો રહ્યો છે. આપણે હારતા રહ્યા છીએ. હવે મોહને હરાવવાનો છે.
* ગઇકાલે પ્રશ્ન હતો : ““મહારાજ ! આવતી કાલે અભિષેકનું ગોઠવ્યું છે. વરસાદ ચાલુ રહેશે તો ઉપર [ગિરિરાજ પ૨] શી રીતે જવાશે ?' મેં કહેલું : ભગવાનની મરજી હશે તેમ થશે. આજે તમે જોયું ને ? સવારે 8 વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો. પણ પછી બંધ. ઉપર આરામથી જઈ શકાયું, નીચે પણ આવી ગયા. ત્યાં સુધી એક છાંટો પણ ન આવ્યો. પછી ફરી વરસાદ ચાલુ !
ભગવાન આપણી આટલી સંભાળ લેતા હોય તો આપણે ચિંતા કરવાની જરૂર શી ? - “સાત મહાભય ટાળતો સપ્તમ જિનવર દેવ.”
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪પપ