Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વચન
ધન :
મન
છે. વડીદીક્ષા વખતે પાંચ મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે.
પાંચ મહાવ્રતો તન,મન,ધન આદિનું સુખ આપે છે. '
તન, મન, ધન, વચન અને જીવન - આ પાંચેય વ્યવસ્થિત હોય તો માણસ સુખી કહેવાય.
અહિંસાથી તન [શરીર] સત્યથી અચૌર્યથી બ્રહ્મચર્યથી અપરિગ્રહથી જીવન સુંદર મળે છે, બને છે.
તન, મન, ધન આદિમાંથી કાંઈ પણ સારું મળ્યું હોય તે પૂર્વમાં અહિંસાદિની આરાધનાનો પ્રભાવ છે, એમ માનજો.
[પૂજ્ય આચાર્યશ્રી આદિ પધાર્યા પછી]. પૂજ્યશ્રી :
જેને ઇન્દ્રો પણ નમે એ ચારિત્રની પ્રાપ્તિ આ માનવભવનું ઉત્કૃષ્ટ સૌભાગ્ય છે.
એ સૌભાગ્ય મળ્યા પછી તેનું સમ્યફ પાલન ન થયું તો એ સૌભાગ્ય દુર્ભાગ્યમાં પલટાઈ જશે.
જ્ઞાતાધર્મકથામાં એક દષ્ટાંત આવે છે :
એક શેઠે મોટો સમારંભ યોજી ચારેય પુત્રવધૂઓને ડાંગરના પાંચ દાણા સાચવવા આપ્યા. પાંચ વર્ષ પછી પાછા માંગ્યા ત્યારે મોટી પુત્રવધૂ ઉક્ઝિકાએ કહ્યું : “એ તો મેં ફેંકી દીધા.”
બીજી ભક્ષિકાએ કહ્યું : “હું તો એ ખાઈ ગઈ.'
ત્રીજી રક્ષિકાએ સાચવીને રાખેલા દાણા કાઢીને કહ્યું : આ રહ્યા પાંચ દાણા.
ચોથી રોહિણીએ કહ્યું ઃ મારા પાંચ દાણા મંગાવવા ગાડાઓ લાવવા પડશે. કારણ કે વાવણી કરતાં-કરતાં એ અનેકગણા થઈ ગયા છે.
પ૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ