Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એવંભૂત નય ભલે એમ માને કે દેશના આપતા ભગવાન, ભગવાન કહેવાય, પણ નૈગમનય તો તીર્થંકર નામકર્મના નિકાચન સમયથી જ ભગવાન માને.
* શક્રસ્તવમાં ભગવાનના વિશેષણો છે. તે બધા જ ભગવાનની અલગ-અલગ અચિંત્ય શક્તિઓને જણાવે છે. આ વિશેષણો, આપણે કોઇને આપીએ તેવા માત્ર કહેવા પૂરતા નથી, વાસ્તવિક છે.
‘સર્વવૈવમયાય, સર્વધ્યાનમયાય, સર્વતેનોમયાય ।' શું અદ્ભુત વિશેષણો છે ?
“ચતુરશીતિક્ષનીવયોનિપ્રાળનાથાય'' આ વિશેષણથી સમગ્ર જીવરાશિમાં ભગવાન દેખાશે. પછી કોઈની હિંસા કે આશાતના કરવાનું મન નહિ થાય.
ભગવાન જો આટલા વ્યાપક હોય તો તેમને કેમ ભૂલી શકાય ?
ભગવાનના સ્મરણ અને અનુસંધાનથી જ આપણી ક્રિયા અમૃત ક્રિયા બને. એક કાજો લેવાની પણ ક્રિયા કરો ત્યારે યાદ કરો : આ ક્રિયા મારા ભગવાને કહેલી છે. તો કેવો ભાવ આવે ?
ભગવાનને દરેક ક્રિયામાં જોડી દો. તો જ એ ક્રિયા કર્મનિર્જરાકારી બનશે.
આપણે ભલે ભગવાનને ભૂલી જઈએ. પણ આપણને મા
બાપ જ એવા મળ્યા છે કે જે આપણને ભગવાન યાદ કરાવી દે. દા.ત. નવકારશી પા૨વાની છે. શું કરીશું ? મૂઠી વાળીને નવકાર ગણવા પડશે ને ? નવકારમાં ભગવાન છે.
તમે ભલે યાદ ન કરો પણ ગોઠવણ જ એવી થઈ છે કે તમને ભગવાન યાદ આવે જ ; જો થોડોક ઉપયોગ એ ક્રિયાઓ તરફ
જાય.
* નિક્ષેપ એટલે વસ્તુનું સ્વરૂપ-વસ્તુનો પર્યાય. વસ્તુનું સ્વરૂપ અને વસ્તુનો પર્યાય વસ્તુથી જુદો પડે ?
હવે સાંભળો. ભગવાનનું નામ ભગવાનથી શી રીતે અલગ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ♦ ૫૪૫