Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 547
________________ * પ્રભુ પણ બોલે ત્યારે નયસાપેક્ષ બોલે. એક નયને આગળ કરી બીજાને ગૌણ કરીને બોલે. બધું એકી સાથે ન બોલે. બોલી પણ ન શકાય. તમે નવપદના વર્ણનમાં જુઓ છો ને ? જે વખતે સમ્યગુદર્શનનો દિવસ હોય ત્યારે તેની મુખ્યતાએ વર્ણન થાય. સમ્યજ્ઞાન હોય ત્યારે તેની મુખ્યતાએ વર્ણન થાય. આમાં કોઈ નારાજ ન થાય. કોઈને એમ ન થાય : હું નાનો થઈ ગયો. બે પગમાં જ જુઓને ! જ્યારે જમણો પગ આગળ હોય ત્યારે ડાબો પગ પાછળ રહે. ડાબો પગ આગળ હોય ત્યારે જમણો પગ પાછળ રહે. બન્ને વચ્ચે કોઈ ઝગડો નહિ. આને જ ગૌણ અને મુખ્ય કહેવાય. શ્રુતજ્ઞાનથી ભાવિત બનેલું મન કેવળજ્ઞાનથી પણ વધી જાય, એમ કહ્યું, એનો અર્થ એ કે આવું મન હોય તો જ કેવળજ્ઞાન મળે. * ચંદાવિન્ઝયની હવે માત્ર પાંચ જ ગાથા બાકી રહી છે. એમાં ખાસ ભલામણ છે : ગમે તેમ કરીને મૃત્યુમાં સમાધિ સાધવાની છે. આજે, અત્યારે જ મૃત્યુ આવી જાય તો પણ તૈયાર રહેવાનું છે. એ માટે નિઃશલ્ય બની ચારની શરણાગતિ સ્વીકારવાની છે, સર્વ જીવો સાથે ક્ષમાપના સાથે એકત્વ ભાવના ભાવવાની છે. “ઉદ્ધ૩િમાવો સુ નીવો ઘુવો .” |09૭૦માં દ્રવ્યશલ્ય [લોખંડની ખીલી કે કાંટો વગેરે.] તો આપણે તરત જ બહાર કાઢી નાખીએ છીએ, પણ ભાલશલ્ય માટે કોઈ વિચાર જ નથી આવતો. ભાવશલ્ય અંદર રહી ગયું તો સગતિ નહિ થાય. મહાનિશીથમાં કહ્યું : હેજ ફેરફાર કરીને કે કોઈ બહાનું આગળ કરીને પણ તમે પ્રાયશ્ચિત્ત કરશો તો પણ આરાધક નહિ બની શકો. આ માટે લક્ષ્મણા સાધ્વીજીનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. તમે છેદસૂત્રોના જ્ઞાતા હો તો પણ જાતે પ્રાયશ્ચિત લઈ શકો નહિ, અન્ય પાસે જ પ્રાયશ્ચિત થઈ શકે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પર

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580