Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૧૩ ૧૪-૭-૨ooo, શુક્રવાર
* જિનાગમના એકેક વચનનો અભ્યાસ કરીએ તેમ તેમ નવી આધ્યાત્મિક શક્તિ પેદા થશે. એથી સંયમનું વીર્ય પ્રબળ બનશે. સંયમ-વીર્ય, એ જ જ્ઞાનનું કાર્ય છે, ફળ છે.
મુક્તિમાર્ગમાં વધુ સહાયક જ્ઞાન છે. શ્રુતજ્ઞાનની કિંમત કેટલી ?
ગઈકાલે મેં વાત કરેલી કે કેવળજ્ઞાનથી પણ મન ચડીયાતું છે આનો અર્થ એ નથી કરવાનો કે કેવળજ્ઞાન નાનું ને મન મોટું ! સ્યાદ્વાર દર્શનમાં બધી વાત સાપેક્ષ હોય છે. જે વખતે જેની મુખ્યતા હોય તેને આગળ કરાય.
અહીં અપેક્ષાએ શ્રુતજ્ઞાન કિંમતી છે, તે આદાન-પ્રદાન થઈ શકે તે અપેક્ષાએ છે. આ જ્ઞાન પણ સફળ તો જ બને જે સંયમવીર્ય પ્રગટે.
આપણા ત્રણેય યોગમાં વીર્ય-શક્તિ ભળે તો જ ફળાવિત
બને.
મન અનુભવજ્ઞાન સુધી તમને પહોંચાડી દે, પછી સ્વયં ખસી જાય ને તમને અનુભવના સમુદ્રમાં ધકેલી દે, એ જ મનનો મોટો ઉપકાર. પછી મન કહી દે છે : મારું કામ પડે ત્યારે બોલાવજો. અનુભવ જ્ઞાન ન મળે ત્યાં સુધી મન અને વચન જરૂરી છે.
પર જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ