Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 558
________________ હા.... ભેંસ માથું ખૂબ હલાવે, પણ સમજે કેટલું ? સામેની સભા સમજદાર હોવી જોઇએ. સભા જો વ્યુત્પન્ન હોય તો તે મુજબ, અજ્ઞાન હોય તો તે મુજબ સંભળાવવું પડે. ફલોદી ચાતુર્માસ [સં. ૨૦૨૪] માં ગાંધીચોકમાં મારું જાહેર પ્રવચન રહ્યું. મારી તો ઇચ્છા ન્હોતી, પણ અપોણા અખેરાજજી બાપજી આઇયા હૈ । ગાંધીચોકમેં જાહેર વખ્યાણ રાખણો જ ચઇજે.’’ એમ સમજીને ઓસવાળોએ જાહેર વ્યાખ્યાન ગોઠવેલું. પણ બ્રાહ્મણોથી આ સહન શી રીતે થાય ? એક બ્રાહ્મણે ચાલુ વ્યાખ્યાનમાં ઊભા થઇને પૂછ્યું : ‘રુસરા તો सब ठीक है, लेकिन यह तो दिखाओ : पाप का बाप कौन ?” મેં કુમારપાળ ચિત્રમાં આ અંગે વાંચેલું એટલે તરત જ જવાબ આપ્યો : ‘પાવાપ એમ હૈ ।' તેને કંઇ ‘પાપનો બાપ મિથ્યાત્વ છે' એમ ન કહેવાય. એને અનુરૂપ જવાબ હોવો જોઇએ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ ત પીતમ્ ? છાશ પીધી ? એવા પ્રશ્નનો જવાબ કેટલો સુંદર આપેલો : “ત શ્વેત, ન તુ પીતમ્'' । છાસ સફેદ હોય છે, પીળી નહિ.'' પણ, ત્યારથી મને લાગ્યું કે સમજ્યા વિના કદી જાહેર વ્યાખ્યાન રાખવા નહિ. પાછળથી પૂ. પંન્યાસજી મ.ની પણ એવી જ ભલામણ આવેલી. * જીવમાં આળસ આમ તો ભરેલી છે જ, પણ ખાસ કરીને આત્મ-કલ્યાણ કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ આળસ ચડી બેસે. જીવને આત્મ-કલ્યાણમાં આળસ ઘણી આવે. બીજું-બીજું ક૨વામાં ક્યાંય આળસ નહિ, પણ આત્મ કલ્યાણકર અનુષ્ઠાનોમાં ભરપૂર આળસ. * અંદર બેઠેલો મિથ્યાત્વ મહેતો બહુ જબરો છે. એ તમને અહીં આવવા જ ન દે. કદાચ આવવાની રજા આપે તો કાનમાં ફૂંક મારી દે : જોજો. ત્યાં જઈને બધું સાંભળજો, પણ કાંઇ માનતા નહિ. જેવા છો તેવા જ રહેજો. જરાય બદલાતા નહિ.’’ ૫૩૮ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580