Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ વદ-૧ ૧૭-૭-૨૦૦૦, સોમવાર
* લાંબા કાળ સુધી જીવો ધર્મ શાસન પામે, એ તીર્થ સ્થાપના પાછળ ભગવાનનું લક્ષ્ય છે. એ લક્ષ્ય પૂર્વના ત્રીજા ભવમાં જ નિર્ધારિત થયેલો હતો.
જે આનંદ હું પામ્યો છું, તે બીજા પણ શા માટે ન પામે ? મારામાં આનંદ છે, તેમ સર્વ જીવોમાં પણ આનંદ છે જ, છતાં જીવો દુઃખમાં રહે, તે કેટલી કરુણતા ? હું સર્વને અંદર રહેલા આનંદના ખજાનાનો બોધ કરાવું - આવી ભવ્ય ભાવનાના યોગે ભગવાને તીર્થકર નામકર્મ બાંધ્યું છે.
* આપણને આનંદ મેળવવાની ઇચ્છા થાય છે. તેનું કારણ આપણું મૂળભૂત સ્વરૂપ આનંદમય છે તે છે. અંદર આનંદ ન હોય તો આનંદની ઇચ્છા ન જ થાય.
* આનંદ આપણી અંદરથી જ આવશે. પણ છતાં ગુરુ કે ભગવાન દ્વારા મળ્યો તેમ કહેવાય. તેમાં કૃતજ્ઞતા છે.
* આનંદમય આપણે હોવા છતાં અત્યારે દુઃખી છીએ. કારણ કે અંદર રાગ-દ્વેષની આગ લાગી છે. આપણે સ્વભાવથી ખસીને વિભાવમાં વસ્યા છીએ. * આપણે બીજાને ક્યારે આપી શકીશું? જો આપણા જીવનમાં
પ૩૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ