Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પુણ્ય હોય તો કુળ પરંપરામાં ધર્મ ન મળેલો હોય તો પછી પણ મળી શકે. એ અપેક્ષાએ આપણે કેટલા પુણ્યશાળી ? જન્મતાં જ જૈન ધર્મ મળ્યો. છતાં આપણી યોગ્યતા પ્રમાણે જ આપણે ગ્રહણ કરી શકીએ.
રસ્તે જતાં “વિહુાં હરિપ” શ્લોક સાંભળી, તેઓ તેનો અર્થ સમજવા સાધ્વીજી પાસે ગયા. તેમણે તેમને સાધુ મહારાજ પાસે મોકલ્યા.
આને સાચા અર્થી કહેવાય. અર્થી એટલે જિજ્ઞાસુ ! જિજ્ઞાસા વધે તેટલું જ્ઞાન વધે !
જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. શુશ્રુષા એટલે સાંભળવાની ઇચ્છા.
એક શ્લોકનો અર્થ સમજવા કટ્ટર વિરોધી જૈન ધર્મના મુનિ પાસે પહોંચી જવું, એ કેટલી ઉંડી જિજ્ઞાસા હશે ? તે જણાવે છે.
કોણ શું આપે ? ઇતિહાસ ડહાપણ આપે. કવિતા મૂદુતા અને વાણી-વિદગ્ધતા આપે. ગણિત સૂક્ષ્મતા આપે. વિજ્ઞાન ગહનતા આપે. નીતિશાસ્ત્ર બહાદૂરી આપે. તર્કશાસ્ત્ર વસ્તૃત્વ આપે. (ધર્મ બધું જ આપે.)
- બેકના
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૩૫