Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 555
________________ પુણ્ય હોય તો કુળ પરંપરામાં ધર્મ ન મળેલો હોય તો પછી પણ મળી શકે. એ અપેક્ષાએ આપણે કેટલા પુણ્યશાળી ? જન્મતાં જ જૈન ધર્મ મળ્યો. છતાં આપણી યોગ્યતા પ્રમાણે જ આપણે ગ્રહણ કરી શકીએ. રસ્તે જતાં “વિહુાં હરિપ” શ્લોક સાંભળી, તેઓ તેનો અર્થ સમજવા સાધ્વીજી પાસે ગયા. તેમણે તેમને સાધુ મહારાજ પાસે મોકલ્યા. આને સાચા અર્થી કહેવાય. અર્થી એટલે જિજ્ઞાસુ ! જિજ્ઞાસા વધે તેટલું જ્ઞાન વધે ! જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. શુશ્રુષા એટલે સાંભળવાની ઇચ્છા. એક શ્લોકનો અર્થ સમજવા કટ્ટર વિરોધી જૈન ધર્મના મુનિ પાસે પહોંચી જવું, એ કેટલી ઉંડી જિજ્ઞાસા હશે ? તે જણાવે છે. કોણ શું આપે ? ઇતિહાસ ડહાપણ આપે. કવિતા મૂદુતા અને વાણી-વિદગ્ધતા આપે. ગણિત સૂક્ષ્મતા આપે. વિજ્ઞાન ગહનતા આપે. નીતિશાસ્ત્ર બહાદૂરી આપે. તર્કશાસ્ત્ર વસ્તૃત્વ આપે. (ધર્મ બધું જ આપે.) - બેકના કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૩૫

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580