Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 549
________________ નમો' માં બધું ઘટાવી આપતા. ઘણી વખત અનુભવની પાસે શાસ્ત્ર પાછળ રહી જાય. શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તેવી વાતો અનુભવમાં આવે. શાસ્ત્ર તો માત્ર માર્ગદર્શક છે, પાટીયું છે. અનુભવ તો આપણે જ કરવો પડે. ચિદાનંદજી, આનંદઘનજીના અનુભવો વાંચો. કયા શાસ્ત્રમાં આવ્યો ? એ નહિ પૂછી શકો. વ્યવહારમાં પણ ગુલાબજાંબુ અને અમૃતીની મીઠાશમાં ફરક શો ? તમે શબ્દોથી કહી શકશો ? મૂંગો માણસ મીઠાઈનું વર્ણન તો ન કરી શકે, પણ બોલતો માણસ પણ બે મીઠાઈની મીઠાશમાં ફરક બતાવી શકશે ? એના માટે એ એટલું જ કહેશે : તમે ચાખો અને અનુભવો. જ્ઞાનીઓની પણ આ જ દશા હોય છે. શાસ્ત્રોનો અભ્યાસ પણ આખરે અનુભવ માટે કરવાનો છે. અનુભવ કહો કે સમાધિ કહો, એક જ વાત છે. સમાધિ પણ આખરે સાધન છે. તે દ્વારા આખરે આત્મા સાધવાનો છે. શાસ્ત્રોમાં પણ અટકી નથી જવાનું – અનુભવ સુધી પહોંચવાનું છે. એ હું કહેવા માંગું છું. પણ ખાસ કાંઈ રુચિ નથી જોતો, એનું હૃદયમાં દર્દ છે. અહીં આટલા મહાત્માઓ ભેગા થયા છે તો સ્વ-સ્વનો અનુભવ જણાવજો. કાંઈ છૂપાવી નહિ રાખતા. - પૂ. મુનિ શ્રી ધુરંધરવિજયજી : આપ કહો જ છો ને ? આખરે માર્ગ તો એક જ છે. જે પામી ગયેલો તે બોલે થોડો ? જિનહી પાયા, તિની છિપાયા.” પૂજ્યશ્રી ઃ બધી વાતો સાપેક્ષ હોય છે. હકીકત એ છે કે અનુભવ છુપાયો રહેતો નથી. એ તો મેરુ છે. કઈ રીતે ઢાંકી શકશો ? એ તો ચન્દ્રહાસ તલવાર છે. એને તમે કઈ મ્યાનમાં રાખશો ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે પ૨૯

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580