Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 550
________________ પ્રભુગુણ અનુભવ ચન્દ્રહાસ જ્યાં, સો તો ન રહે મ્યાનમાં...” – ઉપા. યશોવિજયજી. * દેવ અને ગુરુ અને ધર્મ પોતાની ભક્તિ કરાવવા માટે નથી. દેવ તમને દેવ અને ગુરુ તમને ગુરુ બનાવવા માંગે છે. ધર્મ તમને ધર્મમય બનાવવા માંગે છે. * તમે કહો છો ; ભગવાન પર પ્રેમ કરો, પણ ભગવાન છે ક્યાં? કેવી રીતે પ્રેમ કરવો ? કેમ મળવું? - આવા પ્રશ્નો આજે જ નહિ, પહેલા પણ હતા. પૂ. દેવચન્દ્રજી મ.ના પહેલા સ્તવનમાં આ જ ફરીયાદ છે. વળી એનો ત્યાં જવાબ પણ છે. મારી ખાસ ભલામણ છે : આનંદઘનજી, યશોવિજયજી અને દેવચન્દ્રજી - આ ત્રણ મહાત્માઓની સ્તવન ચોવીશી ખાસ કંઠસ્થ કરજો. તમને તમારી ઘણી ઘણી ખૂટતી કડીઓ મળી જશે. એમણે કરુણા કરીને આ ચોવીશીઓ બનાવી આપણા પર ઉપકાર કર્યો તો એનું રહસ્ય જો આપણી પાસે આવ્યું હોય તો બીજાને આપો, બીજાને શીખવાડો. હું બધા સાધુ-સાધ્વીજીઓને પૂછું છું : તમે જે શીખ્યા છો, તે બીજાને [નાનાને શીખવાડો છો ? વિનિયોગ વિના તમને મળેલો ગુણ તમારી સાથે નહિ ચાલે. કુદરતનો નિયમ છે : આપો તો જ મળે. * સમાધિ મરણનું આ પ્રકરણ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. આ ગ્રન્થમાં વિનય આદિ સાત દ્વારો છે. અષાઢ વદ-૩થી લલિત વિસ્તરા શરૂ થશે. આ ચંદાવિઝયમાં ખાસ કરીને વિનય પર ભાર મૂક્યો છે. વિનીત ગુણવાન શિષ્ય અને ગુણવાન ગુરુ-બન્નેનો યોગ ખૂબ જ દુર્લભ છે. * આ સંઘ પાસે બધી જ કળા છે. એક ધ્યાનની કળા નથી. પ૩૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580