Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રભુગુણ અનુભવ ચન્દ્રહાસ જ્યાં, સો તો ન રહે મ્યાનમાં...”
– ઉપા. યશોવિજયજી. * દેવ અને ગુરુ અને ધર્મ પોતાની ભક્તિ કરાવવા માટે નથી. દેવ તમને દેવ અને ગુરુ તમને ગુરુ બનાવવા માંગે છે. ધર્મ તમને ધર્મમય બનાવવા માંગે છે.
* તમે કહો છો ; ભગવાન પર પ્રેમ કરો, પણ ભગવાન છે ક્યાં? કેવી રીતે પ્રેમ કરવો ? કેમ મળવું? - આવા પ્રશ્નો આજે જ નહિ, પહેલા પણ હતા. પૂ. દેવચન્દ્રજી મ.ના પહેલા સ્તવનમાં આ જ ફરીયાદ છે. વળી એનો ત્યાં જવાબ પણ છે.
મારી ખાસ ભલામણ છે :
આનંદઘનજી, યશોવિજયજી અને દેવચન્દ્રજી - આ ત્રણ મહાત્માઓની સ્તવન ચોવીશી ખાસ કંઠસ્થ કરજો. તમને તમારી ઘણી ઘણી ખૂટતી કડીઓ મળી જશે.
એમણે કરુણા કરીને આ ચોવીશીઓ બનાવી આપણા પર ઉપકાર કર્યો તો એનું રહસ્ય જો આપણી પાસે આવ્યું હોય તો બીજાને આપો, બીજાને શીખવાડો.
હું બધા સાધુ-સાધ્વીજીઓને પૂછું છું : તમે જે શીખ્યા છો, તે બીજાને [નાનાને શીખવાડો છો ?
વિનિયોગ વિના તમને મળેલો ગુણ તમારી સાથે નહિ ચાલે. કુદરતનો નિયમ છે : આપો તો જ મળે.
* સમાધિ મરણનું આ પ્રકરણ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. આ ગ્રન્થમાં વિનય આદિ સાત દ્વારો છે.
અષાઢ વદ-૩થી લલિત વિસ્તરા શરૂ થશે.
આ ચંદાવિઝયમાં ખાસ કરીને વિનય પર ભાર મૂક્યો છે. વિનીત ગુણવાન શિષ્ય અને ગુણવાન ગુરુ-બન્નેનો યોગ ખૂબ જ દુર્લભ છે. * આ સંઘ પાસે બધી જ કળા છે. એક ધ્યાનની કળા નથી.
પ૩૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ