Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ધ્યાન-દશામાં સમાધિની ઝલકની અનુભૂતિ વિના આવી કૃતિ
ન સંભવી શકે.
ગ્રન્થ એટલે ગ્રન્થકારનું હૃદય.
ગ્રન્થ મળ્યો એટલે એ મહાત્માનો સંગ મળ્યો.
ગ્રન્થના માધ્યમથી આજે પણ આપણે હિરભદ્રસૂરિ, ઉપા. યશોવિજયજી આદિ મહાપુરુષોનો સંગ કરી શકીએ છીએ.
* વેપારી વેપારની માથાકુટ કરે, પણ સાંજે નફો મેળવે. આપણને ઘ્યાન કે સમતાનો નફો મળે છે ? આપણી ક્રિયાઓ અંધારામાં કરેલા ગોળીબાર જેવી નથી ને ?
કોઇ પણ એક યોગ એવો પકડી લો, જે તમને સમાધિ સુધી લઈ જાય. યાદ રાખો : દરેક જિનોક્ત અનુષ્ઠાનમાં આ તાકાત છે. સાકરના દરેક દાણામાં મીઠાશ છે, તેમ દરેક જિન-વચનમાં સમાધિનું માધુર્ય છે.
‘સૂત્ર અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી;
તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં છે એક સાખી.’’ ઉપા. યશોવિજયજી મ. કલ્પનાના ચમચાથી શાસ્ત્રના દૂધપાકનો સ્વાદ નહિ મળે, એ માટે અનુભવની જીભ જ જોઈશે. માત્ર પઠન-પાઠનથી તૃપ્ત ન બનો. ઠેઠ અનુભવ સુધી પહોંચવાની તમન્ના રાખો.
—
વિહિત અનુષ્ઠાનો છોડીને તમે અનુભવ સુધી નહિ પહોંચી શકો, એ પણ ધ્યાન રહે. ઘણા અનુભવ પ્રાપ્તિની ધુનમાં પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો છોડી દેતા હોય છે. આ ખૂબ જ ખતરનાક પગલું છે.
જુઓ, ઉપા. યશોવિજયજી કહે છે :
‘ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવીએ શુદ્ધ નય ભાવના, પાવનાસય તણું ઠામ રે.........'' પહેલા ઉચિત વ્યવહાર, પછી જ નિશ્ચય. નહિ તો રાજચન્દ્રના
૪૬૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ