Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
અષાઢ સુદ-૭ ૮-૭-૨૦૦૦, શનિવાર
* મોક્ષ ભલે અત્યારે ન મળે, પણ મોક્ષનો આનંદ અત્યારે પણ મળી શકે છે, જે સાધનાજન્ય સમતા દ્વારા મળે છે.
જીવને દુઃખ ગમતું નથી છતાં ડગલે ને પગલે દુઃખ સહન કરવું પડે છે. કારણકે આ સંસારનું સ્થાન જ એવું છે, જ્યાં દુઃખ મળે જ મળે. કાજળની કોટડીમાં રહેવું ને કાળા ન થવું એ કેમ બને? સંસારમાં રહેવું ને દુઃખ ન પામવું એ કેમ બને ?
દુઃખમયતા સંસારનો સ્વભાવ છે તેમ સુખમયતા મુક્તિનો સ્વભાવ છે.
મુક્તિ મેળવવા હું સાધના કરું છું, એવી પ્રતીતિ પ્રતિપળે થવી જોઈએ. આવી પ્રતીતિ થતી રહે તો મુક્તિ નજીક આવ્યા વિના ન રહે.
બાહ્ય દુ:ખ એટલું પડતું નથી, જેટલું અંદરનું દુઃખ પીડે છે, જે કર્મ અને કષાયના કારણે પેદા થાય છે.
આ સાધુ-જીવન દુઃખકારી કષાયોનો સામનો કરવા માટે જ છે. દસ પ્રકારના યતિધર્મમાં પ્રારંભના ચાર, ચાર કષાયને જીતવા માટે જ છે.
૪૮૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ