Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વાહન વિના તો હજુએ તમે અહીં આવી શકો, પણ પ્રભુકૃપા વિના તમે અહીં સુધી [માનવ ભવ સુધી] ન જ આવી શકો,
ભગવાનની કરુણા નથી સમજાઈ માટે જ ભક્તિ જાગતી નથી. ભક્તિ નથી જાગતી માટે જ ધર્મમાં પ્રાણ નથી આવતો. ચહેરા પર પ્રસન્નતાની સુરખી નથી આવતી. આપણો ધર્મ સૂકોસૂકો લાગે છે.
આપણને જ નહિ, ઘણીવાર મોટા વિદ્વાનોને પણ ભગવાનની કરુણા નથી સમજાઈ. સિદ્ધર્ષિ જેવા વિદ્વાનને પણ ન્હોતી સમજાઈ. એટલે જ તેઓ બૌદ્ધ દર્શન તરફ આકર્ષાયેલા. બુદ્ધ મહાન કાણિક દેખાયા, અરિહંત માત્ર વીતરાગ જ દેખાયા.
એ તો ભલું થજો, લલિતવિસ્તરાનું કે જેના યોગે એમને ભગવાનની પરમ કાણિકતા સમજાઈ અને જૈન-દર્શનમાં સ્થિર થયા.
ભલું થજો એ પૂ. પં. ભદ્રંકરવિજયજી મ.નું કે જેમણે અમને આ લલિતવિસ્તરા આદિ ગ્રંથો દ્વારા ભગવાનની કરુણા સમજાવી. નહિ તો ખબર નહિ : અમે ક્યાં હોત ?
કરુણાસાગર પ્રભુની કરુણા સતત નજર સમક્ષ રાખશો તો તમારા હૃદયમાં ભક્તિની લહર ઊડ્યા વિના નહિ રહે; ખરેખર જે અંદર “હૃદય” નામની ચીજ હશે. પત્થરમાં તરંગ પેદા ન થાય, પણ પાણીમાં તરંગ પેદા ન થાય એ શી રીતે બને ? આપણું હૃદય પત્થર છે કે પાણી ?
પાણી જેવા મૂદુ હૃદયમાં જ ભક્તિનો જન્મ થશે. ભક્તિનો જન્મ થશે તો જ ધર્મ પ્રાણવાન બનશે.
પ્રભુ-દર્શન ન થાય ત્યાં સુધી ચેનથી બેસો નહિ, પ્રભુને પોકાર્યા જ કરો, પ્રાર્થના કરતા જ રહો.
આ દયાળુ પ્રભુ તમને ચોક્કસ દર્શન આપશે.
અહીંથી નહિ મળે તો ક્યાંથી મળશે? અહીંથી નહિ મળે તો ક્યાંયથી નહિ મળે. અનન્યભાવથી શરણાગતિ કરો. ભક્તિમાં સાતત્ય
પ૦૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ