Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* ઉપરની [સાત રાજની] સિદ્ધશિલા દૂર નથી, અંદર રહેલી સિદ્ધશિલા જ દૂર છે. તમે અંદરની સિદ્ધશિલા પર બેસો, અંદર મોક્ષ પ્રગટાવો પછી ઉપરની સિદ્ધશિલા ક્યાં દૂર છે ? એ તો માત્ર એક સમયનું કામ છે. અંદરનો મોક્ષ પ્રગટાવવાનો પ્રયત્ન કર્યા વિના આપણે બહારના મોક્ષ માટે પ્રયત્ન કર્યા કરીએ છીએ.
* “મનની શક્તિ કેવળજ્ઞાન જેટલી છે !' – એમ હરિભદ્રસૂરિજીએ કહ્યું છે. કેવળજ્ઞાનથી પણ વધે એટલી મનની શક્તિ છે.
પ્રશ્ન : કેવળજ્ઞાનથી મન શી રીતે વધે ?
ઉત્તર : ભોજનની કિંમત વધુ કે તૃપ્તિની ? ભોજન કરો તો તૃપ્તિ ક્યાં જવાની ? મહત્ત્વની વાત ભોજનની છે. ભોજન મળી જય એટલે તૃપ્તિ દોડતી-દોડતી આવવાની ! એટલે જ આપણે તૃપ્તિ માટે નહિ, ભોજન માટે પ્રયત્ન કરીએ છીએ. મુક્તિની સાધના તે ભોજન છે. કેવળજ્ઞાન અને મુક્તિ તૃપ્તિ છે.
મુક્તિની સાધનામાં મુખ્ય સહાયક મન છે. મન વિના કેવળજ્ઞાન મળી શકે ? આ અપેક્ષાએ કેવળજ્ઞાનથી પણ મન ચડે.
પૂ. પં. કલ્પતરુવિજયજી મ. = કેવળજ્ઞાન માટે તો મનથી પણ પર થવું પડે છે.
- પૂજ્યશ્રી ઃ મનથી પર થતાં પહેલા મન જોઈએ જ, એ કેમ ભૂલો છો ? મન વગરના પ્રાણીઓ મનથી પર નથી બની શકતા એ જાણો છો ને ?
મારવાડમાં આવશ્યક નિર્યુક્તિમાં વાંચવા મળેલું : ““કેવળજ્ઞાનથી પણ મન વધુ શક્તિશાળી છે. ત્યારે હું આનંદિત થઈ ગયેલો. | મન જે આટલું શક્તિશાળી હોય તો એને જ કેમ ન પકડી. લેવું? પણ યાદ રહે : મન પકડતાં પહેલા કાયા અને વચન પકડવા પડશે. સીધું જ મન હાથમાં નહિ આવે. પહેલા કાયા અને વચનને પવિત્ર અને સ્થિર બનાવો. પછી મન પર ધ્યાન કેન્દ્રિત કરો.
મનડું કિમહી ન બાજે...' - એમ આનંદઘનજી કહેતા હોય
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૨૧